ગાંધીના ગામમા ગાંધીજીની સ્મૃતિ કેમ વિસરાઈ
પોરબંદર આવતા પ્રવાસીઓ માટે ગાંધીભૂમિની સ્મૃતિ અમર રહે તેવા હેતુ સાથે ઘૂઘવતા સાગરકાંઠે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ગાંધીસ્મૃતિ ભવન બનાવવામાં આવ્યું હતું જેમાં સાડા ત્રણ કરોડના ખર્ચે લેસર-શો બનાવવામાં આવ્યો હતો. જે ત્રણ વર્ષથી બંધ છે. અહીંનો વિકાસ માત્ર કાગળ ઉપર જ થયો છે ગાંધીજીની સ્મૃતિની અહીંના તંત્રને અને પાલિકાના શાસકોને કોઈ જ દરકાર નથી તેમ જણાવીને પોરબંદર કોંગ્રેસે ભારે આક્રોશ સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software