પોરબંદરના સુદામાજી મંદિરના વિકાસનુ સુર્વણ સ્વપ્ન
યાત્રાધામ સફાઈ અભિયાનના ભાગરૂપે પોરબંદર શહેર તથા છાયા વિસ્તારમાં આવેલા ૧૨ પવિત્ર યાત્રાધામ અને દેવસ્થાનો ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સફાઈ અભિયાન યોજાયુ હતું. સફાઈ અભિયાન અને સ્વચ્છતા પ્રવૃત્તિ સફળ બનાવવા જિલ્લા કલેકટર કે. ડી. લાખાણીએ સુદામા મંદિરની મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન આપી જણાવ્યું હતું કે, પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર સ્વચ્છ અને સુંદર રહે તે આપણા સૌની જવાબદારી છે. જિલ્લા વહીવટી તંત્રની સાથે સાથે નાગરિકો પણ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સહયોગ આપે તે ઇચ્છનીય છે, જે જગ્યાએ સ્વચ્છતા હોય ત્યાં તન અને મન પ્રફુલિત રહે છે.
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software