પોરબંદરમા આખલાના આંતક થી મોતનો માતમ
પોરબંદર શહેરમાં આખલાઓનો ત્રાસ રોજીંદો બની ગયો છે. અવાર-નવાર યુધ્ધે ચડીને રાહદારીઓ અને વાહનચાલકોને અડફેટે લેવાની ઘટના બને છે. તેમાં કેટલાંક કિસ્સાઓમાં લોકો મોતને પણ ભેટે છે. આવો જ એક કિસ્સો નરસંગ ટેકરી પ્રજાપતી સમાજની વંડી પાસે બન્યો છે. સ્કુટર લઈને જતાં એક વૃધ્ધને ખુટીયાએ અડફેટે લેતાં ગંભીર ઈજા થતાં વૃધ્ધનું સારવાર દરમ્યાન મોત થયું હતું. જયારે ચોપાટી નજીક એક યુવાનને હડેફટ લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યો હતો અને તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખેસેડવામા આવ્યો હતો
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software