ગાંધી જન્મભુમિને કારણે સમગ્ર વિશ્વભરમાં પ્રખ્યાત પોરબંદરનાં વિકાસની મોટી મોટી વાતો થઈ રહી છે. ત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનાં જન્મસ્થળ અને સ્મારક કિર્તી મંદિરનાં ગેઈટ નજીક જ આવેલા સિમેન્ટ રોડમાં ખાડા પડી ગયા છે. છતાં સ્થાનિક તંત્ર અજાણ હોય તેમ આ રસ્તાનું સમારકામ કરવામાં આવતું નથી.
પોરબંદર ના દ્વારકા હાઇવે ઉપર અકસ્માત નો ભય
ત્રણ માઈલ નજીક ઓવરબ્રિજ માંથી રોંગ સાઈડ માં વાહનો દોડે છે
અવારનવાર સર્જાય છે અકસ્માત
તંત્ર રસ્તો વનવે ક્યારે કરશે
પોરબંદર શહેર અને જીલ્લામા જુદી-જુદી વિદ્યાશાખામા ગ્રેજયુએશનમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આવી મહત્વની પરીક્ષામા કોઈ મુઝવણ કે સમસ્યા ન આવે તેવા આશયથી ડો વિ આર ગોઢાણીયા એન્જીનીયરીંગ કોલેજના કોમન મેનેજમેન્ટ એડમીશન ટેસ્ટ-ર૦ર૩ પરીક્ષાનુ સંપૂર્ણ કોમ્પ્યુટર આધારીત ઓનલાઈન આયોજન કરવામા આવ્યુ હતુ
પોરબંદર શહેરને તસ્કરો ધમરોળી રહયા હોય તેમ ચોરીના નાના મોટા બનાવો અવારનવાર બનતા રહે છે ત્યારે રવિવારની રાત્રીના ચોરીનો વધુ એક બનાવ સામે આવ્યો છે પોરબંદરની જુની કોર્ટ નજીક જનસેવા કેન્દ્રની સામે આવેલી ઈલેકટ્્્રો નીકસની દુકાનમા તસ્કરો ખાબકયા હતા
રાણાવાવના આદિત્યાણા ગામે રહેતા એક વૃધ્ધાના કાનમાંથી સોનાના બે વેઢલાની લૂંટની ઘટના બની હતી. જાે કે રાણાવાવ પોલીસે ગણતરીની જ કલાકોમાં આરોપીને ઝડપી લઈ અને મુદ્દામાલ કબ્જે કર્યો હતો. રાણાવાવના આદિત્યાણા ગામે રહેતા લાખીબેન જેતામલભાઈ ડાભી નામના વૃદ્ધા રસ્તે જઈ રહ્યા હતા એ દરમિયાન એક શખ્સે આ વૃૃદ્ધાના કાનમાંથી સોનાના વેઢલા નં.રની લૂંટ ચલાવી હતી.
પોરબંદરના આંગણે ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની કથાનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યંુ છે. ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા ૧રથી ૧૯ માર્ચ દરમિયાન શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન સમુદ્રની સમીપ આવેલા ચોપાટી મેદાન ખાતે કરવામાં આવ્યું છે
પોરબંદરમા બીપીએલી કાર્ડ ઉપર નાણાં ધીરવાનો ગોરખ ધંધો
પોરબંદરમા સોનાના ઘરેણા અને મિલ્કત નહીં ગરીબોના બીપીએલ કાર્ડ ગીરવે મુકી અને નાણાં વ્યાજે આપવાનો ગોરખ ધંધો ચાલી રહયો છે તેવી ચોકાવનારી વિગત સામે આવતા ભારે ચર્ચા જાેવા મળી રહી છે પોરબંદરમા વ્યાજખોર સામે પોલીસ મેદાને પડી છે જુનાગઢ રેન્જ આઈજીપી મયંકસિંહ ચાવડાની ઉપસ્થિતમા લોકદરબારનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા વ્યાજખોરની ત્રાસને લઈ અને અનેક રજુઆત કરી હતી જેમા પોરબંદર ના જાણીતા મહીલા તબીબ ડો. ચેતનાબેન તિવારીએ એવી ચોકવાનારી હકિકત પોલીસ સમક્ષ રજુઆત કરી હતી જરૂરીયાતમંદ પરિવારની મહીલાઓને માત્ર બે થી ત્રણ હજાર જેવી મામાલી રકમ માટે વ્યાજખોર પાસે બીએલકાર્ડ ગીરવે મુકે છે
એવું તે શું બન્યું કે યુવાનની પુચ પરચો ચાલી રહી હતી એ દરમ્યાન યુવાન ઢળી પડ્યો આ ઘટના છે પોરબંદરના નવા કુંભારવાડા વિસ્તારમા રહેતો અને એસીડ અને ફીનાઈલ વહેંચવાનો વ્યવસાય કરતા શ્યામ કિશોરભાઈ બથીયા નામના યુવાનને પોલીસે ચોરીની આશંકાના આધારે પુછપરછ માટે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશને લઈ જવામા આવ્યો હતો અને પોલીસ પુછપરછ કરતે તે પહેલા યુવાન ઢળી પડયો હતો
પોરબંદરમાં જુનાગઢ રેન્જ આઇ.જી.પી. મયંકસિંહ ચાવડાનાં વાર્ષિક ઇન્સપેક્શન દરમ્યાન સ્થાનિક પોલીસને ઉંઘતી રાખીને સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી ૫૦૦ પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. પોરબંદરનાં ઉદ્યોગનગર વિસ્તારમાંથી દિલ્હી પાર્સીંગનાં ટ્રકમાંથી વિદેશી દારૂની ૫૦૦ પેટીનો જથ્થો સ્ટેટ મોનીટરીંગ સેલે ઝડપી લીધો હતો. ઉદ્યોગનગર પોલીસને ઉંઘતી રાખીને આ જથ્થો ઝડપી લેવામાં આવતા ભારે ચર્ચા જાેવા મળી રહી છે.
જુનાગઢ રેન્જ આઇ.જી.પી. મયંકસિંહ ચાવડાનું પોરબંદર જિલ્લાનું વાર્ષિક ઇન્સપેક્શન દરમ્યાન હેડ ક્વાટર ખાતે એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સમાજનાં આગેવાનો, વેપારીઓ, તબીબો અને શિક્ષકો તેમજ લીડ બેન્કનાં મેનેજર તેમજ અન્ય બેન્કનાં કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં. હાલ રાજ્યભરમાં વ્યાજખોરોને નાથવા માટે સરકાર પ્રયત્નશીલ બની છે. વ્યાજખોરો સામે લોકો ફરીયાદ કરવા માટે આગળ આવે તે માટે પોરબંદર પોલીસ દ્વારા છેલ્લા એક માસમાં ૩૦૦ જેટલા લોક દરબારો યોજવામાં આવ્યા છે. જેને કારણે અત્યાર સુધીમાં ૭ જેટલી ફરીયાદ વ્યાજખોર સામે નોંધાઇ છે.
પોરબંદરમાં માર્ગ અકસ્માતમાં કોને જીવ ગુમાવ્યો
પોરબંદર જીલ્લામા માર્ગ અકસ્માતની બે ધટના બની હતી જેમા એક યુવાને જીવ ગુમાવ્યો હતો જયારે અન્ય એક યુવાન ગંભીર રીતે ધવાયો હતો પોરબંદર નજીકના કુછડી ગામ નજીક બાઈક ડીવાયડર સાથે અથડાતા યુવાનનુ ધટના સ્થળે મોત નિપવ્યુ હતુ જયારે દેગામ નજીક કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમા રીક્ષાચાલકને ગંભરી ઈજા પહોંચી હતી.
પોરબંદરના સુભાસનગર માં વાતાવરણ તંગ
યુવાનોને માર મારવાને લઈ ટોળું એકત્રિત થયું
બુટલેગર સામે લોકોનો રોષ
આગેવાનો દોડી આવ્યા અને લોકોને સમજાવ્યા
પોલીસે બુટલેગર સામે પગલાં લેવાની ખાતરી આપી
પોરબંદરમા મરીન કમાન્ડો કેમ ભીડી દરીયા સાથે બાથ
ગુજરાતનાં ૧૬૦૦ કી.મી. લાંબા દરીયા કિનારાની સુરક્ષા માટે અલગ-અલગ સુરક્ષા એજન્સીઓ કામ કરી રહી છે તેમાં મરીન કમાન્ડોનો પણ સમાવેશ થાય છે. ગુજરાતની મરીન પોલીસ કમાન્ડોનુ સેન્ટર પોરબંદર ખાતે આવેલુ છે અને અહિં તેમની ઓફીસ પણ કાર્યરત છે ત્યારે મરીન કમાન્ડોને સમુદ્રી તરણની તાલીમ આપવામાં આવી રહી છે.
પોરબંદર જીલ્લામા મગફળીનો આંકડો લાખોમા
પોરબંદર જિલ્લામાં દર વર્ષે ખરીફ પાકમાં મગફળીનું સૌથી વધુ વાવેતર થાય છે અને ઉત્પાદન પણ સારૂ એવું જાેવા મળે છે. ગત વર્ષે ૮૦૦૦૦ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હતું અને સારા વરસાદને કારણે ઉત્પાદન પણ સારૂ એવું થયુ હતું જેને કારણે છેલ્લા ત્રણ માસમાં પોરબંદરનાં માર્કેટીંગ યાર્ડમાં ૧,૩૮,૬૩૦ મણ મગફળીની આવક જાેવા મળી હતી.
પોરબંદરમા લાલ મરચાનો ભાવ કેમ તીખો યાદ
શિયાળાનાં સમયમાં લીલા શાકભાજીની મબલક આવક જાેવા મળતી હોય છે. તો જાન્યુઆરી માસથી લાલ મરચાની પણ આવક શરૂ થઈ જાય છે. હાલ પોરબંદરનાં માર્કેટીંગ યાર્ડમાં લાલ મરચાની આવક શરૂ થઈ ગઈ છે. આવક શરૂ થતાં જ મરચાનાં મણનો ભાવ ૩૪૦૦ બોલાયો હતો જાેકે ધીરે ધીરે ભાવમાં ધટાડો જાેવા મળ્યો છે. હાલ તો મરચાનો ભાવ તીખો તમતમતો જાેવા મળી રહ્યો છે
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software