પોરબંદરના મેળાની કોણે કરી હતી શરૂઆત જાણો ઇતિહાસ
લોકચહીતો અને લોકપ્રિય એ ,,, જેની સૌ કોઈ દર વર્ષે હરખ ભરી નઝરે રાહ જોવે છે એ જન્માષ્ટમી નો ઉત્સવ એટલે પોરબંદર નો લોકમેળો પોરબંદર ની એક અનેરી ઓળખ અને હરેક પોરબંદર વાસીઓનાં દિલ માં થનગનાટ કરતો એ દરિયા દેવ ના સાનિધ્ય માં યોજાતો જનમાષ્ટમી મેળો ત્યારે શું આપને ખબર છે પોરબંદર ના મેળા ની સૌપ્રથમ શરૂઆત અને મેળા નો શુભારંભ કોણે કર્યો છે ?
ભાઈ બહેન નો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન .આ તહેવાર ને લય ને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આ તહેવાર ને પણ મોંઘવારી નું ગ્રહણ લાગ્યું છે ત્યારે રાખડી અને મીઠાઈ ના ભાવ માં વધારો જોવા મળી રહ્યો છે તેમ છતાં પોરબંદર વાસીઓ રક્ષાબંનધન ના તહેવાર ને આનન્દ અને ઉત્સાહ સાથે ઉજવશે પોરબંદર માં રક્ષાબન્ધન પૂર્વે લોકો એ મીઠાઈ ની ખરીદી કરી હતી..
લાલ કિલ્લાથી લઇ દરેક ઘર સુધી તિરંગો લહેરાશે : હાર્દિક પટેલ
કોંગ્રેસ માંથી ભાજપમાં જોડાઈ કેસરિયો ખેસ ધારણ કર્યા બાદ સૌ પ્રથમ વાર હાર્દિક પટેલ પોરબંદર આવ્યા હતા . અને હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત તિરંગાનું વિતરણ કર્યું હતું.. અને પોરબંદર માં હર ઘર તિરંગા કાર્યક્રમ માં જોશ ભરી જાણે નવો જ શુભારંભ કર્યો હોય તેવું લાગી રહ્યું હતું હાર્દિક પટેલ આજે લોકસભા ના સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા યોજાયેલ દ્વારકાધીશ મન્દિર ખાતે ધ્વજારોહણ ના કાર્યક્રમ માં પણ હાજરી આપશે
ગાંધીભૂમિ દેશભક્તિના રંગમાં રંગાશે
આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત પોરબંદરમાં આગામી તારીખ 13 ઑગસ્ટ ના રોજ તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે તિરંગા યાત્રા ના આયોજન ને પગલે ભાજપ પરિવાર દ્વારા તૈયારીઓ નો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે
પોરબંદર-બગવદર રોડ ઉપર મંગળવારે મોડી સાંજે હીટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં બે લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.
પોરબંદર ના વેપારીઓ ની મેળા ટાણે કેમ માઠી ?
તહેવારો ના હરખ વચ્ચે પોરબંદર ના વેપારીઓ ને તેજી નો વિરહ.પોરબંદર ના બજારો જાણે તહેવારો ના આગમન વચ્ચે પણ મંદીનો માર ખાય રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે . ખાસ કરીને રક્ષાબન્ધન અને જન્માષ્ટમી ના તહેવારો દરમ્યાન બજારો માં ખરીદી નો કૈક વધારે જ માહોલ જામતો હોય છે અને આ વર્ષે જયારે બે વર્ષ ના કોરોના ના કપરા કાળ બાદ જન્માષ્ટમી નો લોકમેળો યોજાવા જઈ રહ્યો છે ત્યારે જે હરખ બજાર માં દેખાવો જોઈ એ તે હજુ પણ ખૂટે છે વેપારીઓ ની એ આશા હતી કે આ વર્ષે મેળા ના આયોજન ને પગલે બજારો ગ્રાહકો થી ધમધમશે પરંતુ જાણે કોરોના ના ગ્રહણ એ બે વર્ષ માં મંદી ના માહોલ ને વધારી જાણે વેપારી ઓની આશા પર પાણી ફેરવી નાખ્યું હોય તેવું લાગી રહ્યું છે
પોરબંદર ના મેળા માં તમારા જોખમ ની જવાબદારી પાલિકાની
પોરબંદર ની આન, બાન અને સાન એટલે સૌરાષ્ટ્ર નો બીજા નંબર નો ગણાતો પોરબંદર નો જન્માષ્ટમી નો મેળો કોરોનાના 2 વર્ષ ના કહેર બાદ આ વર્ષે પોરબંદર માં લોકમેળા નું આયોજન થતા જ પોરબંદર ની પ્રજા હરખ ઘેલી બની હતી પોરબંદર સહીત સમગ્ર પંથક આ લોકમેળા નો આનંદ માણવા આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે ત્યારે લોકમેળા ના આયોજન નિમિતે તૈયારીઓ સરું થઈ ગય છે
પોરબંદર ના બરડા પંથક માં જળ નો જળજલાટ
પોરબંદર સમગ્ર જિલ્લા માં કાલે મેઘરાજા મહેરબાન થયા હતા અને જાણે મન મૂકી ને વરસ્યા હતા પોરબંદર ના બરડા પંથકમાં પણ ગય કાલે વર્ષારાણી જાણે પ્રસ્સન થયા હોય તેમ આગમન કરી સમગ્ર બરડા પંથક ને પાણી થી તરબોળ કર્યો હતો. ત્યારે ભારે વરસાદ ના કારણે પાણી ભરપૂર આવક જોવા મળી હતી બરડા પંથક ના મજીવાળા અને સોઢાણા ગોલાઈ ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં હતા બરડા પંથક માં ગઈકાલર એક જ દિવસમાં અંદાજે 3 થી 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે
પોરબંદર જિલ્લામાં વીજળી બિહામણા ચમકારા
પોરબંદર જિલ્લામાં શ્રાવણે અષાડી માહોલ જોવા મળ્યો હતો સાર્વત્રિક એક થી 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો ગાજ વીજ સાથે પડેલા વરસાદ ના કારણે સમગ્ર પંથક પાણીથી તરબોળ બન્યો હતો તેવા સમયે હર્ષદ રોડ પર વીજળીના ચમકારાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા તો કુતિયાણા ના રામનગર ગામે પુલ ઉપરથી પસાર થતા 5 પશુઓ એક પછી એક પાણીના પ્રવાહમાં તણાયા હતા તેના દશ્યો
મહાત્મા ગાંધીને દેશના વીર જવાનની ભાવાંજલિ..
ભારતીય સેનાના જાહબાજ ઓફીવેર રાજેશસિંહસેખાવત પોરબંદર ના આંગળે આવ્યા
હતા તેમણે ગાંધી જન્મ સ્થળ ની મુલાકાત લીધી હતી અને ગાંધીજી ને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ ઉપરાંત છાબમોર્ચે શહિદ થયેલા મોઢવાળાના શહિદ વીર નાગાર્જુન સીસોદીયા ને ભાવાંજલિ અર્પણ કરી હતી તેમજ પોરબંદર ના યુવાનોને અગ્નિ વીર યોજના અંગે માર્ગદર્શન આપ્યું હતું . રાજપુતાના રેજિમેન્ટ માં શૌર્ય મેડલ અને શૌર્ય ચક્ર થી સન્માનિત થયેલા અને હાલ જૂનાગઢ માં ગુજરાત એન.સી.સી. ના ઓફિસર તરીકે ફરજ બજાવતા રાજેશ સિંઘ શેખાવત ગાંધી જન્મ સ્થળ કીર્તિ મઁદિર ખાતે આવ્યા હતા. અને તેઓ જણાવ્યુંહતું કે ગાંધી જન્મ ભૂમિ પર આવવું તેમનું અહોભાગ્ય રહ્યું છે તેમજ તેમને જણાવ્યું કે અહીં આવી ને તેમને એક અલગ જ લાગણી અને ગૌરવ અનુભવ થાય
તોફાની દરિયા માં બે જિંદગી એ મોત ને મહાત આપી
ગુજરાત સહીત સમગ્ર સૌરાષ્ટ્ર માં પાંચ દિવસ સુધી ભારે થી અતિભારે વરસાદ ની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી હતી ત્યારે વાતાવરણ માં પણ પલટો આવ્યો છે સાથે જ દરિયા માં કરન્ટ જોવા મળી રહ્યો છે ત્યારે આજ રોજ તોફાની દરિયા માં રત્નસાગર નામ ની બોટ તોફાન માં ફસાય હતી . ત્યારે કોસ્ટગાર્ડ ને આ માહિતી મળતા કોસ્ટગાર્ડ ના જવાનો પોહચી ગયા હતા અને રેસ્ક્યુ ની કામગીરી હાથ ધરી હતી
સખી ક્લબ ઓફ પોરબંદર દ્વારા આજ રોજ આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ સાથે જ રક્ષાબન્ધન ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.. આ કાર્યક્રમ માં દેશભક્તિ કેરો અનેરો પ્રેમ વરસ્યો હતો સાથે જ તિરંગા વેશભૂસા અને દેશભક્તિ ના ગીત નું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ દેશભક્તિ નૃત્ય ના આયોજન સાથે સૌ કોઈ દેશભક્તિના રંગ માં રંગાયા હતા
પોરબદર જિલ્લામાં લમપી વાયરસ નું સંક્રમણ વધી રહ્યું છે જેને કારણે અનેક ગૌવંશ મોત ને ભેટયા છે તેનો જાગતો પુરાવો છે આ કુછડી ના દરિયા કિનારાવિસ્તાર માં પડેલા ગૌવંશ ના મૃતદેહ ના આ ઢગલા આ દ્રશ્યો જોઈ ને હૃદય કપિ ઉઠશે તંત્ર ની ઘોર બેદરકારી ખુલી પાડી છે કોંગ્રેસે...
ડ્રેગન ની ખેતી કેમ બની ફળદાયક...
ડ્રેગન ફ્રૂટ જે આપડા ગુજરાતમાં કમલમ નામ થી પણ જાણીતું છે તેનો આકાર કમળ જેવો હોવાથી ગુજરાત સરકાર દ્વારા કમલમ નામ આપવામાં આવ્યું છે ત્યારે આજે વાત કરીયે કુછડી ગામના એક ખેડૂત મિત્ર ની સાથે કે જેમને તેમના ખેતર માં પરંપરાગત ખેતી થી લય ને બાગાયતી ખેતી તરફ એક નવી શરૂઆત કરી એક નવો જ પ્રયોગ સાકાર કર્યો છે પોરબનદર ના નિવૃત પોલિશમેન સુરેશભાઈ થાનકી અને તેમના ભાઈ રાજેશભાઈ થાનકી કે જેમની કુછડી ખાતે જમીન આવેલી છે તો વર્ષો થી મગફળી જેવા પરંપરાગત પાકો નું વાવેતર કરી રહ્યા હતા ... પરંતુ ગયા વર્ષ થી તેમણે ડ્રેગન ફ્રૂટ નું વાવેતર કરી અને બાગાયતી ખેતી તરફ પગલાં માંડ્યા છે.
ઉપરાષ્ટ્રપતિની રાષ્ટ્રપિતાને ભાવાંજલિ
દેશનાં ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુ આજે સૌરાષ્ટ્રનાં પ્રવાસે આવ્યાં છે. જામનગર ખાતે ટુંકુ રોકાણ કર્યા બાદ તેઓ પરિવાર સાથે દ્વારકાધીશનાં દર્શને પહોંચ્યા હતાં. જયાં પરિવાર સાથે દ્વારકાધીશની પૂજા-અર્ચન કરી હતી. અને ત્યાંથી નાગેશ્વર મહાદેવનાં દર્શન કર્યા હતાં. દ્વારકાથી સીધા ખાસ વિમાન મારફત પોરબંદર એરપોર્ટ ખાતે પહોંચ્યા હતાં. જયાં તેમનું ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું. વૈંકયા નાયડુ પરિવાર સાથે કીર્તિમંદિર અને ગાંધી જન્મસ્થળની મુલાકાત પહોંચ્યા હતાં. જયાં રાષ્ટ્રપિતાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software