એસ બી આઈ આરસેટી ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા ખાસ એક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું . આ સંસ્થા દ્વારા નવયુવાનો ને રોજગાર લક્ષી તાલિમ આપવામાં આવે છે ભારત ના વિકાસ માં યુવાનો પગભર થાય અને સ્વરોજગાર મેળવે તે અર્થે ખાસ તાલિમ અને પ્રશિક્ષણ વિનામૂલ્યે આપવામાં આવે છે આ સંસ્થા દ્વારા 30 દિવસીય તાલીમ અને અનેક શેત્રે રોજગાર મેળવવા અર્થે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે ત્યારે આ તકે પોરબંદર માં અનેરી સિદ્ધિ અને નામના ધરાવતા બિગબોસ સલૂન ની ટીમ અહીં ઉપસ્થિત રહી હતી અને અનેક તાલીમ સાથે બ્લાયન્ડ હેર કટિંગ ની તાલીમ આપી હતી અને આ સંસ્થા દ્વારા ભારત ના આ વિકાસ માં યુવાનો મદદરૂપ બને અને રોજગારી મેળવે તેવા હેતુસર ખાસ તાલીમ આપી તેમને સ્વરોજગાર માટે તૈયાર કરવામાં આવે છે.
પોરબંદર ના રસ્તા કમર ભાંગે તેવા?
પોરબંદર ની આ ધરા અને સુરખાબી નગરી ને ખાડા નગરી માં ફેરવતા આ ભૂંડા ભ્રસ્ટાચાર ના ભોગ પોરબંદર વાસીઓ બની રહ્યા છે . પોરબંદર ના રસ્તા પર જો નઝર કરીયે તો કેહવું મુશ્કેલ છે કે રસ્તા માં ખાડો છે કે ખાડા માં રસ્તો ??? પોરબંદર ની પ્રજા જે કમર તોડ માર ખાય રહી છે અને બીજું બાજુ કોન્ટ્રાક્ટરો માલ ખાય રહ્યા છે તેવા ખુલ્લા આક્ષેપો કોંગ્રેસે કર્યા છે અને એવું પણ જણાવ્યું હતું કે એક બાજુ તંત્ર વિકાસ ના ગાણાં ગાવામાં મસ્ત છે તો પ્રજા આ બ્રેકડાન્સ જેવા રસ્તા થી ત્રસ્ત છે .
પોરબંદર ગજાનન ને આવકારવા કેવો છે ઉત્સાહ
હવે ટૂંક સમય માં જ ગૂંજશે ગણપતિ બાપ્પા મોરયાના નાદ પોરબંદર વિસ્તાર ની હરેક ગલીઓ માં. ત્યારે સમગ્ર લોકો બાપ્પા ના આગમન ની તૈયારી માં લાગી ગયા છે અને બાપ્પા ની આગતા સ્વાગતા કરવા હરખભેર રાહ જોઈ રહ્યા છે ત્યારે બજારો માં અવનવી બાપ્પા ની મૂર્તિ આવી ગય છે જે હર કોઈ નું મન મોહી લે તેવી અભિભૂત અને મનમોહનીય છે .પોરબંદર શહેરમાં ખાપટ વિસ્તારમાં 10 થી 15 જેટલા ધનધાર્થીઓં દર વર્ષે ગણેશ ચતુર્થી ના તહેવાર નિમિતે અમદાવાદ રાજકોટ જેવા શહેરો માંથી મૂર્તિઓ મગાવે છે
પોરબંદર માં અંતે તંત્ર ને કેમ આવ્યો સદવિચાર
પોરબંદર સુદામા ની નગરી અને ગાંધી ની જન્મભૂમિ,,, ત્યારે અહી હજારો લાખો ની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે પોરબંદર ખાતે કોઈ ધર્મશાળા જેવી વ્યવસ્થા પણ પ્રવાસીઓ માટે રાખવામાં આવી નથી .. આ સાથે જ પ્રવાસીઓ ને મુસકેલી વેઠી અને હોટેલ, ગેસ્ટ હાઉસ ના ઉચા ભાડા ચૂકવવા પડી રહયા છે. ત્યારે પોરબંદર માં પ્રવાસીઓ માટે સુદામા મંદિર ખાતે ઘી ની બંધ લેબોરેટરી ખાતે ધર્મશાળા ની વ્યવસ્થા કરવામાં આવે અને પ્રવાસીઓ પોરબંદર ની અનેરી રોનક અને અનોખી છાપ લય ને જાય તેવી માંગ પોરબંદર કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી...આ સમાચાર ગય કાલ ના રોજ ખબરો ની દુનિયા માં પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા.
રાણાવાવ માં બે સંતાનો એ પિતા ને પહોંચાડીયા યમધામ
પોરબંદરના રાણાવાવ મા પરિવાર ના આતરિક ઝગડા ને લઈ ને સંતાનો એ પિતાને મોત ને ઘાટ ઉતારી દિધા હતા ત્યારબાદ પિતાની લાશ ને ગોબરગેસ નાં ખાડા માં દફનાવી દિધા હોવાની ઘટના બહાર આવતા ભારે ચર્ચા
પોરબંદર માં નાના ધંધાર્ઓથીનું શુ છે દર્દ
પોરબંદર માં લીમડાચોક શાકમાર્કેટ ખાતે મોટી સંખ્યા માં લોકો અને વેપારીઓ અહીં આવે છે ત્યારે આ શાકમાર્કેટ ખાતે છત જેવી સામાન્ય સુવિધા પણ ઉપલબ્ધ નથી ચોમાસા દરમ્યાન વરસાદ ને કારણે લોકો ને અને વેપારીઓ ને ભારે હાલાકી નો સામનો કરો પડે છે એક બાજુ વરસતા વરસાદે ઉપર તાલપત્રી બાંધી ને અહીં આવતા શાકભાજી ના વેપારીઓ રોજી રોટી કમાય છે અને ભારે વરસાદ ની સ્થિતિ માં તો શાકભાજી પલળે છે અને વેપારીઓ ને નુકસાન સાથે આ શાકભાજી આરોગ્ય ને પણ નુકસાન પોહચાડી શકે છે .
વૈષ્ણવ જન તો એને કહીયે જે પીડ પરાયી જાણે રે ........
ગાંધીજી ની વિચારધારા હતી કે છેવાડાના માનવી સુધી સેવા પોહ્ચે અને કોઈ નું દુઃખ હરવુ એ જ સાચી સેવાભક્તિ અને માણસાઈ ની નિશાની છે ત્યારે આજ રોજ ગાંધીભૂમિ પોરબંદર ખાતે ના આનંદ મેળા માં પધાર્યા છે એવા જ એક શ્રેષ્ઠ હાસ્યકલાકાર , અને સેવાકીય પ્રવૃત્તિ કરી અને સમગ્ર ગુજરાત માં સુંગધ પ્રસરાવી તેવા નીતિન ભાઈ જાની કે જેને બાળકો થી લય વયોવૃદ્ધ સૌ કોઈ ખજુરભાઈ ના નામ થી ઓળખે છે... એ ખજૂર ભાઈ કે જેમણે હમેશા ગુજરાતીઓના ઉદાસ ચહેરા પર મુસ્કાન લાવી છે .
છાયા ગુરુકુળ નર્સિંગ સ્કૂલની છાત્રાઓ એ મેળવી સિદ્ધિ
પોરબંદર માં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ શ્રી આર.બી. બદીયાની સંકુલ દ્વારા આજ રોજ વિધાર્થી સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું .. નર્સીંગ શેત્રે અનેરી સિદ્ધિ અને ઉત્તરોત્તર પ્રગતિ મેળવેલ વિધાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ માં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.. પૂજ્ય સ્વામી ભાનુપ્રકાશજી , ટ્રસ્ટ્રી પદુભાઇ રાયચુરા , દીપકભાઈ જટાનિયા અને અનેક હસ્તીઓના હાથે વિધાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ પૂજ્ય સ્વામી ભાનુપ્રકાસજી એ શબ્દો રૂપી આશીર્વચન પાઠવ્યા હતા અને ભારત ના ભાવીઓ ને અનેરો રાહ ચીંધ્યો હતો અને વિધાર્થીઓ ઉતરોતર પ્રગતિ અને ભારત નું ઉજ્જવળ ભાવિ બને તે માટે પ્રેરણા આપી હતી.
સુભાષનગર પુલનું કામ કેમ પાણીમાં
પોરબંદર ના સુભાષ નગર તરફ જતા રસ્તા ઉપર પુલ બનાવની કામગીરી ચાલી રહી છે આ કામગીરી ગોકળગાઈ ની ગતિ એ ચાલતી હોવાના કારણે વાહન ચાલકો ને અને રાહદારીઓ ને મુશ્કેલી પડી રહી છે પોરબંદરથી સુભાષ નગર તરફ જતા રસ્તા ઉપર અલગ અલગ 2 સ્થળો એ પુલ બનાવની કામગીરી ચાલી રહી છે છેલ્લા એક વર્ષ થી આ કામગીરી ધીમી ગતિ એ ચાલે છે
ત્યોહારો ના હરખ વચ્ચે પણ આપડી પ્રથમ ફરજ એટલે પર્યાવરણ ની જાણવણી... હાલ જન્માષ્ટમી બાદ શ્રી ગણેશા પધારી રહ્યા છે ત્યારે પોરબંદર પણ બાપ્પા ના આગમન ની તૈયારી માં લાગી ગયું છે,...પોરબંદર માં હાલ માટી ના ઇકોફ્રેન્ડલી ગણપતિ ની મૂર્તિ નું આગમન થયુ છે.. 31 ઑગસ્ટ થી જયારે ગણપતિ ઉત્સવ નો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે બજાર માં અવનવી બાપ્પા ની મૂર્તિઓ આવી રહી છે જોકે કોરોના ના 2 વર્ષ બાદ જયારે ગુજરાત સરકાર એ મૂર્તિ ની ઉંચાઈ અંતર્ગત નિયમો પરત લય અને આ વર્ષે મન ભરી ને ઉત્સવ ને ઉજવવાનો મોકો આપ્યો છે .
પોરબંદરમાં અભ્યાસ અર્થે આવતી એક સગીરા સાથે બે સંતાનોના પિતાએ દુષ્કર્મ આચર્યું હતું. આ અંગેની ફરિયાદ સગીરાના પરિવારજનોએ નોંધાવ્યા બાદ આ અધમ કૃત્ય આચરનાર શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. અને તેમની સામે કાર્યવાહી શરૂ કરી છે. સોશ્યલ મીડિયામાં કોઇની સાથે સંપર્કમાં આવ્યા બાદ કેટલાક કિસ્સાઓમાં કરૂણ અંજામ આવે તેવો એક બનાવ પોરબંદરમાં પ્રકાશમાં આવ્યો છે
પોરબંદર માં માધવપુર ઘેડ હાઇવે નજીક કાંધિયા વાવ તરીકે ઓળખાતી કેનાલ માં અજાણ્યા સખ્શ ની લાસ મળી આવી છે આ વાત ની જાણ થતા જ લોકો માં ભારે ચર્ચા જાગી હતી
પોરબંદરમાં યાત્રાળુઓ કેમ વેઠે છે યાતના
પોરબંદર અનેક સહેલાણીઓનું મનપસંદ સ્થળ રહ્યું છે અને લાખો ની સઁખ્યામા લોકો અહીં આવતા હોય છે અને સાથે જ ત્યોહારો ના દિવસો માં તો પોરબંદર ની રોનક કૈક અનેરી જ હોય છે પરંતુ જયારે આ સહેલાણીઓ પોરબંદર ખાતે આવે છે ત્યારે તેની સુવિધાનું ધ્યાન રાખવું એ પણ પોરબંદર ની પ્રથમ ફરજ ગણાય છે
પોરબંદરની ખાસજેલમાં શું થયું ધર્મનું કાર્ય
પોરબંદર ની ખાસ જેલ કે જ્યાં અનેક કેદીઓ ગુન્હા ના અંજામ ના પગલે ત્યાં સજા વેઠી રહ્યા છે જેઓ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાય રાષ્ટ્ર અને સમાજ ના અહિત માં કાર્ય કરેલું હોય તેવા લોકો હાલ ખાસ જેલ ખાતે સજા ભોગવી રહ્યા છે ત્યારે તે ખાસ જેલ ના કેદીઓ માં પણ સારા વિચાર આચાર અને સુવિચાર નું પ્રસ્થાપન થાય તેવા હેતુસર પાયોનિયર ક્લ્બ અને સાગર પુત્ર સમન્વય સંસ્થા દ્વારા ખાસ જેલ ખાતે સત્યનારાયણ કથા નું અનેરું આયોજન કરવામાં આવ્યું હતું .
સરકાર સાગરખેડુ ની તારણહાર બનશે..
પોરબંદર ખારવા સમાજ ના પ્રમુખ પવનભાઈ શિયાળ ની આગેવાની માં ભાજપ પ્રદેશ માછીમાર સેલ ના સંયોજક મહેન્દ્રભાઈ જુંગી ની મધ્યસ્થ થી સમગ્ર ગુજરાત ખારવા સમાજ માથી ૧૫ જેટલા આગેવાનો ની ટીમ ગાંધીનગર ખાતે સી.એમ. ભુપેન્દ્રભાઈ પટેલ ના નિવાસ સ્થાને મળવા ગયેલ હતી. જેમાં માછીમારો ની વિવિધ સમસ્યાઓ નું નિવારણ લાવવા અંગે મુખ્યમંત્રી સાથે ખુબ જ વ્યવસ્થિત રીતે એક-એક મુદ્દાઓ ની ચર્ચા-વિચારણા થઈ હતી. અને ફીશરમેનો ની સમસ્યાઓ ની રજૂઆત કરવામાં આવેલ હતી. માછીમારો ને પડતી મુશ્કેલી અને સમસ્યાઓ ના દરેક મુદ્દા ને પ્રસ્તુત કરવામાં આવ્યા હતા
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software