પોરબંદર પોલીસ સાથે સુરતમા શુ બની ધટના
પોરબંદરનાં કમલાબાગ પી.એસ.આઈ. સહિતનાં ત્રણ કર્મચારી ઉપર સુરતનાં ઈચ્છાપુરમાં હુમલાની ઘટના બની હતી. છેતરપીંડીનાં કેસમાં આરોપીને પકડવા ગયા તે દરમ્યાન આ બનાવ બન્યો હતો. હુમલો કરીને નાસી છુટેલા આરોપીઓને ઝડપી લેવામાં સુરત ડી.સી.પી.ને સફળતા મળી છે.
પોરબંદર જિલ્લામાં આજે મેઘરાજાએ ક્યાં બોલાવી બઘડાટી
પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદ
છેલ્લા બે દિવસથી વરસાદ
આજે સોમવારે ફરી વરસાદ
સીમર અને આસપાસના ગામોમાં વરસાદ
પાકને નુકશાન થવાની ભીતિ
બરડામાં ખેડૂતની મહેનતને આગ ભરખી ગઈ
શીંગડા ગામ ની સિમ વિસ્તારમાંઆગ વીજ લાઈન શોર્ટ સર્કિટ થતા આગ
ખેડૂતના ઘઉંના ઉભા પાક માં લાગી આગ
મોટાભાગ નો પાક બળી ને ખાખ
સ્થાનિકો દ્વારા આગને કાબુમાં મેળવવા પ્રયાસ
રજુઆત છતાં વીજ તંત્ર ઊંઘ માં
ખેડૂતને ભારે નુકશાન
બરડા પંથકની વર્તુ નદીમા ઉનાળે પુર
પોરબંદરનાં બરડા પંથકનાં ખેડુતોમાં ખુશીની લહેર જાેવા મળી હતી કારણ છે વર્તુ – ર ડેમમાંથી સિંચાઈ માટેનું પાણી છોડવામાં આવ્યું છે. ઉનાળુ પાક માટે સિંચાઈનાં પાણીની જરૂરીયાત હોવાથી ખેડુતોએ વર્તુ – ર ડેમમાંથી પાણી છોડવા માટેની માંગ કરી હતી. જેને પગલે આજે શનિવારે પ૦ એમ.સી.એફ.ટી. પાણી છોડવામાં આવ્યું છે.
પોરબંદરમા વેપારીએ કેમ કર્યો આપઘાતનો પ્રયાસ
પોરબંદરનાં વાડી પ્લોટ વિસ્તારમાં રહેતા અને મચ્છીનો વ્યવસાય કરતા એક પ્રોઢૈ ઝેરી દવા પી અને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આઠ-દશ લોકો પાસે ઉઘરાણી બાકી હોય અને તે પૈસા નહીં આપતા આ વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
પોરબંદરમાં પથ્થરમારો થતા ભાગદોડ મચી
પોરબંદરમાં પાગલે આતંક મચાવ્યો
લીમડાચોકમાં ભરેભાગદોડ
પાગલે પથ્થરોના છુટા ઘા કર્યા
પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ
શાર્કના શિકારીનો સરદાર કોણ ?
ગુજરાતનાં દરીયામાં ડોલ્ફીનની મદદથી શાર્કનાં શિકારનો પર્દાફાશ કરવાનો સુરક્ષા એજન્સીઓને જબરી સફળતા મળી છે. આસામની એક બોટમાંથી શાર્ક અને ડોલ્ફીન માછલીનાં જથ્થા સાથે દશ જેટલા શખ્સોને ઝડપી લેવામાં સફળતા મળી હતી. ઝડપાયેલા શખ્સોનાં દશ દિવસનાં રીમાન્ડ મેળવવામાં આવ્યા છે અને તેમની પુછપરછ દરમ્યાન કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવશે તેવી પણ શક્યતા જાેવા મળી રહી છે.
પોરબંદરમા જલારામબાપાને ડ્રાઈફુટવાળા રોટલાનો ભોગ
પોરબંદરમાં નવું અને જુનું એમ બે જલારામ મંદિર આવેલા છે. અહિં જલારામ જયંતી ઉજવણી સહિતનાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. નવા જલારામ મંદિર ખાતે દર ગુરૂવારે સત્સંગનું પણ આયોજન કરવામાં આવે છે. તા.૧૬ માર્ચ ને ગુરૂવારે નવા જલારામ મંદિર ખાતે રોટલા મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જલારામ બાપાને પપ૧ રોટલાનો ભોગ ધરવામાં આવ્યો હતો. આ રોટલા મનોરથનાં દર્શન કરી શ્રધ્ધાળુઓએ ધન્યતાની લાગણી અનુભવી હતી. પોરબંદરનાં નવા જલારામ મંદિર ખાતે રોટલા મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ પપ૧ જેટલા રોટલાનો ભોગ ધરવામાં આવ્યો હતો. જેમાં ઘી વાળા તેમજ ડ્રાયફ્રુટ વાળા રોટલા બનાવવામાં આવ્યા હતા. મનોરથ બાદ આ રોટલા પ્રસાદી સ્વરૂપે શ્રધ્ધાળુઓને આપવામાં આવ્યા હતા.
દરિયામાં ડોલ્ફીન અને શાર્કના શિકારીઓ નો કાળો પંજો
દરિયામાં ડોલ્ફીન અને શાર્કના શિકારી ઝડપાયા
કોસ્ટગાર્ડ અને પોરબંદર એસઓજીનું ઓપરેશન
વનવિભાગ પણ જોડાયું
આસામની બોટમાંથી 10 શખ્સો ને ઝડપી લીધા
શાર્ક અને ડોલ્ફિનના મૃતદેહ કબ્જે
પોરબંદર પોલીસે વાહન ચાલકો સામે કેેમ બોલાવી તવાઈ
પોરબંદર શહેરમાં ટ્રાફીકની સમસ્યા લોકોને સતાવી રહી છે. આડેઘડ વાહન પાર્ક કરી અને ટ્રાફીકની સમસ્યા ઉભી કરનારા વાહન ચાલકો સામે પોલીસે તવાઈ બોલાવી હતી. આ ઉપરાંત ધુમ સ્ટાઈલથી બાઈક ચલાવનારા તત્વોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું.
પોરબંદરના કરાટેવીર નો જિંદગીનો જંગ જીતવા મદદ કરો
પોરબંદરના કરાટેવીર માટે મદદ અપીલ
અકસ્માતમાં ઇજગ્રસ્ત બન્યા
જયેશ ખેતરપાળ માટે મદદ માટે અપીલ
પોરબંદરવાસીઓ ઉદાર હાથે અનુદાન આપે
પોરબંદરમા ફરી કેમ કોરોના કરંડીયામાંથી બહાર આવ્યો
પોરબંદર સહિત રાજ્યભરમાં ફરી કોરોનાએ માથું ઉચક્યુ છે. જેને કારણે લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. પોરબંદર જિલ્લામાં પણ કોરોનાની એક્ટિવ કેસની સંખ્યા ૪ એ પહોંચી છે. સોમવારે વધુ બે કેસ નોંધાયા છે. હાલ ઉનાળાનો પ્રારંભ થઈ ગયો છે તો બીજી તરફ લગ્નસરાની સિઝન પણ જાેવા મળી રહી છે તેવા સમયે પોરબંદર જિલ્લામાં કોરોનાનો કકળાટ ફરી શરૂ થયો છે. છેલ્લા ૧પ દિવસમાં કોરોનાનાં કુલ ૬ કેસ નોંધાયા છે
પોરબંદરમાં બોર્ડની પરીક્ષાનો ઉત્સાહ
14 માર્ચથી પરીક્ષાનો પ્રારંભ થશે
આજે પરીક્ષા કેન્દ્ર ખાતે બેઠક વ્યવસ્થા જોવા વિદ્યાર્થીઓ ઉમટી પડયા
ધો 10 અને 12 ના વિદ્યાર્થીઓ માં ઉત્સાહ
પોરબંદરમાં આજથી ભાગવત સપ્તાહનો પ્રારંભ
મહેર સમાજ દ્વારા આયોજન
શ્રદ્ધાળુઓ માટે પ્રસાદીનું આયોજન
ખાસ રાજસ્થાનની રસોયા બોલવામાં આવ્યા
નિયમિત 10 થી 15 હજાર લોકોની પ્રસાદી લેશે
પ્રસાદી માટે ખાસ વ્યવસ્થા
પોરબંદરમાં ધોળે દિવસે અંધાધૂંધ ફાયરિંગ
પોરબંદર શહેરમા આજે સોમવારે ધોળે દિવસે ફયરીંગની ધટના બનતા શહેરભરમા ભારે ચર્ચા જાેવા મળી હતી બોખીરા વિસ્તારમા રહેતા પંજાબી શખ્સોને ડુકકર પકડવાના કોન્ટ્રાકટને લઈ માથાકુકટ ચાલતી જેને લઈ અને એક પ્રૈાઢ ઉપર ચાર રાઉન્ડ ફાયરીગ કરવામા આવ્યુ હોવાનુ પોલીસની પ્રાથિમક તપાસમા બહાર આવ્યુ છે. ફાયરીગમા ગંભીર રીતે ઘાયલ થયેલા પ્રૈાઢ ને પ્રાથિમક સારવાર પોરબંદરની સરકારી હોસ્પીટલમા આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામા આવ્યો હોવાનુ જાણાવા મળી રહ્યુ છે
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software