પોરબંદર આજે ક્યાં કરશો ગણેશ વિસર્જન
પોરબંદર માં ગણેશઉત્સવ ની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે હવે પાંચ માં દિવસે એટલે રવિવારે ગણેશ વિસર્જન કરવામાં આવશે વિસર્જન માટે પાલિકા દ્વારા ચાર સ્થળો એ વ્યવસ્થા કરી છે
પોરબંદર માં ગણેશ ચતુર્થી ના દિવસે અસ્થાભેર ગણેશજી ની મૂર્તિ ની સ્થાપના કરી હતી પાંચ દિવસ સુધી ભક્તિભાવ સાથે ગણેશજી ની પૂજા-અર્ચના કરવામાં આવી તેમજ લાડુ નો ભોગ ધરવામાં આવ્યો હતો
પોરબંદર ગણેશભક્તિ માં લિન
સુદામા નગરી જાણે આ દિવસો માં શ્રી ગણેશ ને રીઝવવા માં લાગી ગય છે સૌ કોઈ ના મુખે બસ બાપ્પા નું નામ જ ગુંજી રહ્યું છે અને મન ભરી ને સૌ કોઈ બાપ્પા ની આરાધના માં લાગી ગયા છે પોરબંદર માં ગલી ગલી જાણે બાપ્પા ના ભક્તિ ના રંગે રંગાની છે અને બાપ્પા ની પ્રેમભાવ પૂર્વક સેવા કરી રહ્યા છે પોરબંદર ના સુદામા ચોક મામા કોઠા પાસે પણ શ્રી ગણેશ બિરાજ્યા છે ને ખુબ સુંદર રીતે સજાવટ અને શણગાર કરી અને સ્નેહ ભાવ સહીત બિરાજમાન છે
પોરબંદર માં ભક્તિ ની સાથે પ્રકૃતિ ની પ્રેરણા
ગણપતિ બાપ્પા ના આગમન ની હરખ અને ખુશી કૈક અનેરી જ હોય છે પરંતુ સાચા અર્થ માં બાપ્પા ની આરાધના એટલે કે તેમણે બનાવેલ આ શ્રુષ્ટિ અને પર્યાવરણ નું રક્ષણ અને જતન, ત્યારે સાચા અર્થ માં બાપ્પા ની આરાધના કરી અને છેલ્લા 21 વર્ષ થી માટી થી બનેલા ઈકો ફ્રેન્ડલી શ્રી ગણેશ થી સ્થાપના કરે છે
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software