પોરબંદર મા કોરોના સામે લડવા કેટલા સજજ તે અંગે મોકડ્રીલ યોજાઈ
કોરોનાના ફરી ડાકલા વાગવા લાગ્યા છે ત્યારે કોરોના સામે
લડવા માટે સરકાર અને તંત્ર સજજ બન્યુ છે. કોરોના આક્રમણ કરે તો
તેમની સામે લડવા માટે કેટલા સક્ષમ છીએ અને કયાં પ્રકારની તૈયારીઓ
છે. તે અંગેની એક મોકડ્રીલ આજે પોરબંદરની ભાવસિંહજી
હોસ્પિટલમાં યોજવામાં આવી હતી.
પોરબંદર કોરોના ના સંકટ ને લઈને તંત્ર કેમ ચિંતિત .?
પોરબંદર સહિત રાજયભરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહયો છે. પોરબંદર જિલ્લામાં પણ કોરોનાનાં કેસમાં ઉતરોતર વધારો જોવા મળી રહયો છે. કોરોનાની ચોથી લહેર દસ્તક આપી રહી હોય તેમ કેસમાં વધારો થતાં. આજે સોમવારે સવારનાં સમયે જિલ્લા કલેકટર અશોક શર્માએ ભાવસહજી હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
પોરબંદર જિલ્લા માં છેલ્લા ઘણા સમય થી સતત કોરોના ના કેશ માં વધારો થઈ રહયો છે.ત્યારે પોરબંદર ની સરકારી હોસ્પિટલ કોરોના ના દર્દીઓ ને પૂરતી અને યોગ્ય સારવાર આપવા માટે તમામ પ્રકાર ની સુવિધાઓ ઉપલબ્ધ છે.
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software