ખારવા સમાજ દ્વારા મુખ્યમંત્રી પાસે વિધાનસભા ની ટીકીટ ની માંગ
આગામી વિધાનસભાની ચૂંટણી ના પડઘમ વાગી રહ્યા છે ત્યારે પોરબંદર થી સમસ્ત બારગામ ખારવા સમાજ દ્વારા વિધાનસભામાં પ્રતિનિધિત્વ આપવાની માંગ કરવામાં આવી છે રાજય ના મુખ્યમન્ત્રી ભુપેન્દ્ર પટેલ આજે રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધી જી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પોરબંદર આવ્યા હતા . તે દરમ્યાન તેમણે બારગામ ખારવા સમાજ ની પંચાયત મઢી ની મુલાકાત લીધી હતી , આ પ્રસંગે ખારવા સમાજ ના વાણોટ પવનભાઈ શિયાળ સહીત ના આગેવાનો એ મુખ્યમન્ત્રી નું સ્વાગત કર્યું હતું.
પોરબંદર ખાતે ૨ ઓક્ટોબર ના રોજ ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ગાંધી ભૂમિ ની મુલાકાતે આવી રહ્યા છે મુખ્યમંત્રી ના પોરબંદર ની મુલાકાતે અનેક કાર્યોના શુભારંભ તો ખાત મુહુર્ત કરવામાં આવશે તેમજ ૨ ઓક્ટોમ્બર ના રોજ મુખ્યમંત્રી ના હસ્તે માછીમારો ની માપલા વાડી જગ્યા એ દ્રેજિંગ નું ખાત મુર્હૂત કરવામાં આવશે
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software