પોરબંદર નું ભવ્ય એરપોર્ટ હાલ ફ્લાઇટ ની ઉડાન વિના સૂના વનરાવન જેવું લાગી રહ્યું છે પોરબંદર ના એરપોર્ટ ખાતે ઘણા લાંબા સમય થી અમદાવાદ , મુંબઈ અને દિલ્લી ની ફ્લાઇટ બંધ કરી દેવામાં આવી છે પોરબંદર ના ધંધાર્થીઓ માટે આ ફ્લાઇટ ખુબ ઉપયોગી હતી, સાથેજ સમય ની બચત નું ઉત્તમ મુસાફરી નું માધ્યમ બંધ થતા સમગ્ર પોરબંદર વાસીઓ ફ્લાઇટ શરૂ કરવા ની માંગ કરી રહ્યા છે.
પોરબંદરની વિમાની સેવા કેમ બંધ
પોરબંદર ખાતે હાલ તમામ વિમાની સેવા ને સ્થગિત કરવામાં આવી છે તેવા સમાચાર હાલ તો ચારે બાજુ વહેતા થયા છે . પોરબંદર નું એ આલીશાન અને ગુંજતું એરપોર્ટ હાલ તો ફ્લાઇટો ના બન્ધ હોવાને કારણે સુમસાન થયું છે ત્યારે પોરબંદરની જનતા વતી જેસીઆઈ પોરબંદર ના સ્થાપક લાખણશી ગોરાણીયા અને પ્રમુખ રોનક દાસાણી આ રાજ્ય અને કેન્દ્ર સરકાર ને રજુઆત કરી છે.
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software