રાણાવાવમાં દિવાળી ટાણે તસ્કરોની હોળી
રાણાવાવ શહેરના પીપળીયા રોડ ઉપર આવેલ ગોલ્ડન સોસાયટી અને તેની જ પાસે આવેલ રોનક સોસાયટીમાં ગતરાત્રિમાં છ બંધ મકાનોના તાળા તૂટ્યા હતા. જેમાં અનેક મકાનના ઘરમાં ઘૂસી કબાટો તોડી તેમાં બધું વેર વિખેર કરતા એક મકાનના કબાટમાંથી એક ગળાનો દોરો તેમજ ત્રણ વીટી મળી કુલ દોઢથી બે તોલા સોનાની ચોરી કરવામાં આવેલ છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના કાર્યકરો એ કરી આપ્યું આવેદન
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજ રોજ કલેકટર કચેરી ખાતે જઈ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. અગાઉ પણ ટેટ ટાટ માટેની પરીક્ષા ના આયોજન કરવા બદલ પણ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. અને એ આવેદન બાદ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
પોરબંદરમાં કીડીના કણ માટે હાથીના મણ જેવી સેવા
પોરબંદરમાં દાયકાઓથી સેવાયજ્ઞ ચલાવનાર અને પોરબંદર માં માનવતાની મહેક પ્રસરાવનાર એટલે લાલબત્તી વાળા મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ . પોરબંદરમાં લાલબત્તી વાળા મામાદેવ મંદીર દ્વારા કિડીયારા થી તૈયાર કરેલ ૨૫૦ શ્રીફળ કીડી માટે મૂકવામાં આવ્યો છે. આ મંદિરના સેવાભાવી યુવાનો દ્વારા સેવાકીય કાર્યોની સરિતા વહી રહી છે. ૨૫૦ શ્રીફળ માં હોલ પાડી ઘઉ, ખાંડ, ચોખા , તલનો પાઉડર મિક્ષ કરી ભર્યા બાદ જંગલમાં કીડી માટે મૂકવામાં આવ્યા હતા.
પોરબંદર NSUI દ્વારા “શિક્ષા અધિકાર સંમેલન“ નું આયોજન
પોરબંદર NSUI દ્વારા “શિક્ષા અધિકાર સંમેલન“ નું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર તાજવાલા હોલ ખાતે આજ રોજ NSUI દ્વારા શિક્ષા ને મોખરે રાખી અને યુવાનો અને વિધાર્થીઓ માટે આ ખાસ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
પોરબંદર માં જલારામ જયતી ની ઉજવણી ની કેવી છે તૈયારી
નિરાધાર નો આધાર એટલે જલારામ અને એવા પૂજ્ય સંત જલારામ બાપા ની 223 મી જન્મજ્યંતિ આવી રહી છે.ત્યારે જલારામ બાપા ના ભક્તો માં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને ખાસ કરી ને ભવ્ય ઉજવણી નું આ વર્ષે આયોજન થવા જય રહ્યું છે.
પોરબંદર ના દરિયામાં ઘમાસાણ
પોરબંદર તા,૧૭. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં રક્ષા શક્તિ ક્ષેત્રે દેશને આત્મનિર્ભર બનાવવાના લક્ષ્યને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ' ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨' નું યજમાન ગુજરાત બન્યું છે ત્યારે પોરબંદર કોસ્ટગાર્ડ જેટી ખાતે આવતીકાલે તા.૧૮ થી તા.૨૨ સુધી જાહેર જનતા નૌસેના પ્રદર્શન અને જહાજની મુલાકાત લઈ શકશે.
પોરબંદરમાં દિવાળી પહેલા રસ્તા રૂપાળા
ચોમાસા બાદ રસ્તાઓ એ જાણે પોરબંદરની છબી બદલાવી નાખી હોય તેમ ઠકેઠેકાને ખાડાઓ નું સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છે.ત્યારે તંત્ર દ્વારા હાલ તેહવારો ને લય ને રસ્તા ના સમારકામ નું કામ હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરી ને પોરબંદર ના મહત્વ ના માર્ગો પ્ર સમારકામ કરી અને ખાડાઓ ના સામ્રાજ્ય ને પરાજિત કરવામાં આવી રહ્યું છે. દિવાળી ના તેહવાર ને લય ને તંત્ર દ્વારા ખાસ કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે શહેરી જનો માં પણ ખુશી ની લાગણી ફરી વળી હતી.
તહેવારો ના આગમને જાણે સોની બજાર ને જગમગાવ્યું છે ખાસ કરી ને ગય કાલે મઁગળવારે ગુરુ પુષ્ય નક્ષત્ર ના યોગ ના કારણે સોની બજાર માં લોકો સોનાની ખરીદી કરવા ઉમટી પડ્યા હતા પોરબંદર ની સોની બજારો માં લોકો સોનાની ખરીદી કરવા પહોંચ્યા હતા ખાસ કરી ને ગુરુ પુષ્ય નક્ષત્ર ને લય ને અનેક માન્યતાઓ અને શુભ મુહર્ત માનવામાં આવે છે.
પોરબંદર માં ગૌરવ યાત્રા નું ભવ્ય સ્વાગત
દ્વારકા થી શરુ થયેલી ભાજપ ની ગૌરવ યાત્રા નું આજે પોરબંદર ખાતે સમાપન થયું હતું. જેમાં ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ભાજપના અધ્યક્ષ સી. આર.પાટીલ , કેન્દ્રીય મંત્રી ભાગવદ, તેમજ ભાજપ ના અગ્રણી ભરત ભાઇ બોઘરા સહિત ના ભાજપ ના ટોચ ના આગેવાનો જોડાયા હતા. અસ્માવતી રિવર ફ્રન્ટ ખાતે ગૌરવ યાત્રા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સુદામા ચોક ખાતે એક જાહેર સભા યોજાઈ હતી. જેમાં ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી એ ગુજરાત ની વિકાસ ગાથા રજૂ કરી હતી
પોરબંદરના બાગ બગીચામાં મળશે હવે જીમની સુવિધા..
પોરબંદર છાયા નગરપાલિકા ની જનરલ બોર્ડ ની બેઠક મળી હતી જેમાં 15 જેટલા એજન્ડા રજૂ કરવામાં આવ્યા હતા જેમાં વિકાસ ના કામો ને વેગ આપવામાં આવ્યો હતો પોરબંદર શહેર ના બાગ બગીચા અને સાર્વજનિક પ્લોટ માં જિમ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા શહેર માં રસ્તા , પાણી , સ્ટ્રીટ લાઈટ સહિત ની પાયાની સુવિધા ઉપરાંત વિકાસ ના કાનો ને પણ વેગ આપવામાં આવી રહ્યો છે.
પોરબંદરની સરકારી હોસ્પિટલમાં દર્દીઓની કેમ પડશે સારવારની ખોટ
પોરબંદર ની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ને ક્યુ ગ્રહણ લાગતું હોય તેમ અવારનવાર પ્રશ્નો અને સમસ્યાનું સામ્રાજય ફેલાયેલું રહે છે પોરબંદરની ભાવસહજી સરકારી હોસ્પિટલમાં આમ તો પણ તબીબોની ઘટ જોવા મળી રહી છે. જેની અસર લોકોને મળતી આરોગ્યની સેવા પર જોવા મળી રહી છે. થોડા સમય પૂર્વે પાંચ તબીબ સહિત ર૮ જેટલા મેડીકલ સ્ટાફનાં કોન્ટ્રાકટને લઇને ઉભો થયેલો વિવાદ અંતે શાંત થયો હતો
આંગણે આંગણે પહોંચશે કોંગ્રેસ , પ્રજાના સાદ ને આપશે સાથ પોરબંદર કોંગ્રેસ દ્વારા ભારત જોડો યાત્રાનાં સમર્થનમાં શહેરનાં કીર્તિમંદિર ખાતેથી સોમનાથ સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ નાથાભાઇ તથા કોંગ્રેસ નેતા અર્જુનભાઈ મોઢવાડીયાની આગેવાનીમાં પદયાત્રાનો પ્રારંભ થયો છે.
પોરબંદર ની વેજીટેબલ માર્કેટ પાલિકા ની તિજોરી ભરશે ?
પોરબંદર નગરપાલિકા દ્વારા પેરેડાઇઝ સિનેમા નજીક વેજીટેબલ માર્કેટ બનવવામાં આવી છે આ બિલ્ડીંગ વર્ષો સુધી બંધ હાલત માં હતું અને ખનઢેર બની ગયું હતું.... અંતે પાલિકા નું તંત્ર જાગ્યું હોય તેમ આ માર્કેટ નું રીનોવેશન કર્યા બાદ હવે તમને ભાડા પટ્ટે થી આપવાનું આયોજન કર્યું છે અને તેની પ્રકિયા પણ શરૂ થઈ ગઈ છે.
પોરબંદરમાં સિટી બસ સેવા શરૂ થયા બાદ શું આવી સામે સમસ્યા
પોરબંદર માં સીટી બસ સેવા ના શુભારંભ થી જ પાલિકા એ સુદામા ચોક ખાતે ના પાર્કિંગ ની સમગ્ર જગ્યા ની ફાણવની સીટી બસ માટે ગોઠવી દીધી હતી તેમજ રેલિંગ બાંધી ને સુદામા ચોક ની પાર્કિંગ ની જગ્યા પર સીટી બસ સિવાય ના અન્ય વાહનો ને પાર્કિંગ પર મનાય ફરમાવી હતી.
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software