સરકાર ની બેદરકારી, મોંઘી પડે માછીમારી .
પોરબંદર શહેર અને જિલ્લા માં બુધવારે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો દરિયો તોફાની બનતા દીવાદાંડી નજીક ના દરિયા કિનારે એક બોટ ફંગોળાય હતી સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પરંતુ બોટ માં ભારે નુકસાન થયું છે બંદર માં બોટ પાર્કિંગ ની પૂરતી વ્યસ્થા નહીં હોવાને કારણે દરિયા માં રહેલી બોટ પર જોખમ ઉભું થયું છે
પોરબદર માં વરસાદ ને પગલે મેળા માં વિઘ્ન
મેળા ગ્રાઉન્ડ માં વરસાદી પાણી ભરાયા
વરસાદ ને કારણે મેળા ની કામગીરી માં મુશ્કેલી
સ્ટોલ અને રાઈડ ઉભી કામગીરી માં વિક્ષેપ
આજે વધુ વરસાદ પડશે તો મેળા નું આયોજન ખોરંભે ચડશે
જન્માષ્ટમી ના પર્વ નિમિતે ખાજલી ના વેચાણ માં ખોંખારો...
પોરબંદર ની પ્રજા તહેવારો ના આ ધમધમાટ વચ્ચે વાનગી ઓ નો સ્વાદ માણવાનું કય રીતે ભૂલી શકે ??? ત્યારે જન્માષ્ટમી ના આ પાવન ઉત્સવ વચ્ચે પોરબંદર ની સ્વાદપ્રિય પ્રજા એ ફરસાણ અને ખાજલી ની ખરીદી શરૂ કરી દીધી છે જન્માષ્ટમી ના તહેવાર ને હવે ગણતરી ના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે એક બાજુ લોક લાડીલા લોકમેળા ની તૈયારીઓ તો સ્વાદપ્રિય જનતા એ ફરસાણ અને ખાજલી ની તૈયારીઓ અને ખરીદી ને જોરશોર થી વધારી જાણે જન્માષ્ટમી ના ત્યોહાર ને હરખભેર વધાવી રહ્યા છે
મુસીબત ના મોસમ માં માછીમારો ની વ્હારે કોણ ?
આ વર્ષે એકબાજુ વરસાદ એ હાહાકાર મચાવ્યો છે તો બીજી બાજુ દરિયા માં ખરાબ હવામાન ના પગલે અને તોફાન ના કારણે માછીમારો ને ચાલુ સીઝન એ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ત્યારે ગુજરાત ખારવા સમાજ ના પૂર્વ પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટી ના ઉપપ્રમુખ સુનિલ ગોહેલ એ મુખ્યમન્ત્રી ને પત્ર લખી ને જાણ કરી ને જણાવ્યું છે
રાણાવાવમાં ત્રિરંગા યાત્રામાં કોમી એકતાના દર્શન
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાણાવાવ ખાતે તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યુ હતું રાણાવાવ શહેર જાણે દેશભક્તિ ના રંગ માં રંગાયું હતું અને ભારત માતા કી જય ના નારા થી સમગ્ર રાણાવાવ શહેર ગુંજી ઉઠ્યું હતું . રાણાવાવ સ્ટેશન પ્લોટ ખાતે થી 300 બાઈક અને અંદાજે 500 જેટલા લોકો આ રેલી માં જોડાયા હતા
લોક રક્ષક બન્યો ભક્ષકએક મહિલાનું શીયળ લુંટી લીધુ..
પોરબંદર પોલીસનું માથુ શરમથી ઝુકી જાય તેવી ઘટના પોલીસ બેડામાં બની છે. કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ હતું. ત્યારબાદ વિડીયો કોલીંગ કરી અંગત પળોનાં વિડીયો વાયરલ કરવાનું કહીં અને પ૦ હજાર રૂપિયાનો તોડ કર્યાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઇ છે. આ ઘટનામાં રક્ષક જ ભક્ષક બનતા પોરબંદર પોલીસની આબરૂને કાળો દાગ લાગ્યો હોવાનું શહેરભરમાં ચર્ચાઇ રહયું છે.
પોરબંદર ના લોકમેળા નું દુશ્મન કોણ ?
પોરબંદર વાસીઓ અને કૃષ્ણ પ્રેમી જનતા કે જે આતુરતા થી લોક મેળા ની રાહ જોઈ રહી છે ત્યારે આ મેઘો મુશળધાર બની જાણે હરખ ના રંગ માં ભંગ નાખી રહ્યો હોય તેવું અત્યારની પરિસ્થિતિ જોઈ ને વ્યતીત થઈ રહ્યું છે . એક બાજુ મહામન્થન બાદ નગરપાલિકા દ્વારા મેળા નું આયોજન અને મેળા માટે ના ગ્રાઉન્ડ ની હરાજી કરવામાં આવી હતી અને કોરોના ના કહેર બાદ બે વર્ષ બાદ યોજાતા આ મેળા માટે તૈયારીઓ નો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો પરંતુ મેઘરાજા જાણે પોરબંદર ની પ્રજા થી નારાજ હોય તેમ અવિરત પણે વરસી રહ્યા છે
પોરબંદર ના ખાદી ભંડાર માં શેનું થયું રેકર્ડ બ્રેક વેચાણ
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન માં સૌ કોઈ સહભાગી બન્યા છે ત્યારે પોરબંદર માં પણ આઝાદી ના હરખ નો અનેરો રંગ લાગ્યો હોય તેમ સૌ કોઈ હર ઘર તિરંગા અભિયાન માં સહભાગી બની અને દેશ પ્રેમ વ્યક્ત કરી આઝાદી ની ખુશી વ્યક્ત કરી રહ્યા છે પોરબંદર માં ખાદી ભવન ખાતે રાષ્ટ્રીય પર્વ તેમજ રાજકીય કાર્યક્રમો માં ખાદી ની ખરીદી થતી હોય છે પરંતુ આ વખતે હર ઘર તિરંગા અભિયાન માં તિરંગા નું વિતરણ કરવામાં આવ્યું છે
પોરબંદર જિલ્લા ના વિકાસ માટે 25 લાખ ની ગ્રાન્ટ
સમગ્ર રાષ્ટ્ર ની સાથે જ પોરબંદર જિલ્લો પણ આઝાદી ના ઉજવણી ના રંગે રંગાયો છે પોરબંદર જિલ્લા માં આજ રોજ 76 માં સ્વતંત્રતા પર્વ ની ઊંજવણી જિલ્લા પોલિશ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરાય હતી .. રાષ્ટ્ર ધ્વજ લહેરાવી સૌ કોઈ એ તિરંગા ને સલામી આપી હતી તેમજ પોલિશ જવાનો દ્વારા વિશેષ રીતે માં ભારતી ને સલામી આપવામાં આવી હતી .
પોરબંદર ના સાંદિપની હરિ મન્દિર ખાતે આજ રોજ 15 મી ઑગસ્ટ ના આઝાદી ના પર્વ નિમિતે ઉજવણી કરવામાં આવી હતી... સમગ્ર દેશ સહીત પોરબંદર ના લોકો આ આઝાદી ના અમૃત મહોત્સવ માં જોડાય આઝાદી નું અનેરું માન અને સન્માન લય રહ્યા છે આજ રોજ સાંદિપની હરિ મન્દિર ખાતે ભાગવત આચાર્ય રમેશભાઈ ઓઝા ની ઉપસ્થિતિ માં સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી.
સમુદ્ર ની સમીપ રાષ્ટ્રીય પર્વ ની ઉજવણી
આજનો દિવસ એટલે 15 મી ઑગસ્ટ . સ્વતંત્રતાનો, આઝાદી નો એ મહોત્સવ જ્યાંરે સમગ્ર દેશ , સમગ્ર ભારતીય માટે એક ગૌરવ નો દિવસ. આજ રોજ 76 માં સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી સૌ કોઈ દેશવાસીઓ કરી રહ્યા છે ત્યારે પોરબંદર વાસીઓ પણ આઝાદી ના જસ્ન માં જોડાયા છે આજ રોજ માં ભારતી ને સલામી આપી સૌ કોઈ એ રાષ્ટ્ર ની એકતા અને અખડદિતાતતા માટે પ્રાર્થના કરી હતી.
પોરબંદરના આઝાદી ઉત્સવ ના જૂના સંસ્મરણો
આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી દેશભર માં થઈ રહી છે ત્યારે દેશ ને આઝાદી અપાવનાર રાષ્ટ્રપિતા ગાંધી ની જન્મ ભૂમિ પોરબંદર પણ આઝાદી ના ઉત્સવ નું સાક્ષી બન્યું હતું આઝાદી બાદ પોરબંદર ના રાજ રત્ન શેઠ નાનજી કાલિદાસ મેહતા એ ગાંધી જી ની સ્મૃતિ માં કીર્તિ મન્દિર નું નિર્માણ કર્યું હતું .
પોરબંદર માં વરસાદ ને કારણે રસ્તા ધોવાયા
પોરબંદર જિલ્લા માં પડેલા વરસાદ ને કારણે ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત નેશનલ હાઈવે ના રસ્તાઓ ધોવાયા છે જેને કારણે વાહન ચાલકો ને મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે પોરબંદર થી માધવપુર ને જોડતા નેશનલ હાઈવે ઉપર સિમેન્ટ અને ડામર રોડ માં ખાડા પડી ગયા છે
પોરબંદરમાં તિરંગા યાત્રાનો અદભુત નજારો
ગાંધી જન્મ ભૂમિ આજે દેશ ભક્તિ ના રંગે રંગાય હતી આઝાદી કે
અમૃત મહોત્સવ અંતર્ગત પોરબંદર ના આંગણે તિરંગા યાત્રા ને અનુલક્ષીને સભા નું આયોજન કરવામાં આવ્યું હતું .મુખ્યમન્ત્રી ભુપેન્દ્ર પટેલ ની ઉપસ્થિતિ માં તિરંગા યાત્રા યોજાઇ હતી
હાલ સમગ્ર રાજય માં ભારે વરસાદ પડી રહ્યો છે તો દરિયો પણ તોફાની બન્યો છે તેવા સમયે સોશ્યિલ મીડિયા માં દરિયામાં બનેલી એક અદભુત ઘટનાનો વિડિઓ વાઇરલ થયો છે આભ અને સમુદ્ર વચ્ચે સર્જાયેલી આ અનોખી ઘટના માછીમારો એ મોબાઈલ માં કેદ કરી હતી
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software