પોરબંદરના જલારામબાપાને આમ્રફળનો ભોગ
પોરબંદરના જલારામ મંદિરે આંબા મનોરથ
જલરામ બાપાને ૩૦૦ કેરીનો ભોગ ધરવામા આવ્યો
ભીમ અગ્યારસને લઈ આંબા મનોરથનુ આયોજન
આંબા મનોરથના દર્શન કરી શ્રધ્ધાળુઓએ ધન્યતા અનુભવી
કેરી પ્રસાદ સ્વરૂપે શ્રધ્ધાળુઓને આપવામા આવશે
પોરબંદરમા જલારામબાપાને ડ્રાઈફુટવાળા રોટલાનો ભોગ
પોરબંદરમાં નવું અને જુનું એમ બે જલારામ મંદિર આવેલા છે. અહિં જલારામ જયંતી ઉજવણી સહિતનાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. નવા જલારામ મંદિર ખાતે દર ગુરૂવારે સત્સંગનું પણ આયોજન કરવામાં આવે છે. તા.૧૬ માર્ચ ને ગુરૂવારે નવા જલારામ મંદિર ખાતે રોટલા મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જલારામ બાપાને પપ૧ રોટલાનો ભોગ ધરવામાં આવ્યો હતો. આ રોટલા મનોરથનાં દર્શન કરી શ્રધ્ધાળુઓએ ધન્યતાની લાગણી અનુભવી હતી. પોરબંદરનાં નવા જલારામ મંદિર ખાતે રોટલા મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ પપ૧ જેટલા રોટલાનો ભોગ ધરવામાં આવ્યો હતો. જેમાં ઘી વાળા તેમજ ડ્રાયફ્રુટ વાળા રોટલા બનાવવામાં આવ્યા હતા. મનોરથ બાદ આ રોટલા પ્રસાદી સ્વરૂપે શ્રધ્ધાળુઓને આપવામાં આવ્યા હતા.
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software