એ દિવસ અને દરિયા નો કિનારો હતો સાક્ષી જયારે આવ્યો કાળ અને એક યુવાન ની જીદંગી જગડા ના જંગ માં હોમાય ગય. ત્યારે આ ઘટના ની વિગત વાર વાત કરીયે તો જન્માષ્ટમી ના તહેવાર સમયે રતનપરના સ્મશાન પાસે કોહવાયેલી લાસ મળી આવી હતી જેમાં સનસનીખેજ ખુલાસો બહાર આવ્યો છે આ લાશ મળ્યા ની સાથે જ હાર્બર મરીન પોલિશ સ્ટેશન દ્વારા ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
હવામાન વિભાગ ની આગાહી ને પગલે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે ત્યારે ફિશિંગ વિભાગ દ્વારા માછીમારો ને વોટ્સએપ પરિપત્ર દ્વારા જાણ કરી અને દરિયો ન ખેડવા સૂચના આપી છે તારીખ 10 સમ્પ્ટેમ્બર થી લય 13 સપ્ટેબર સુધી દરિયો ન ખેડવા સૂચન કર્યું છે અને દરિયામાં રહેલ બોટો ને પરત બોલાવાવની પણ સૂચના આપી દેવામાં આવી છે આ સાથે જ ટોકન ઇસ્યુ પણ બંધ કરવામાં આવ્યા છે જેથી બોટો 13 સપ્ટેમ્બર સુધી દરિયો નહીં ખેડે તેવું જાહેર કરવામાં આવ્યું છે
હાલ હવામાન વિભાગ દ્વારા આગાહી ના પગલે દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે તેવા સમયે માધવપુર ના રળિયામણા દરિયા કિનારે દુર્ઘટના સર્જાય હતી. અમદાવાદ ના બે યુવાનો ના ડૂબી જવાથી મોત થતા ભારે અરેરાટી વ્યાપી ગય હતી.
સરકાર સાગરખેડુ ની તારણહાર બનશે..
પોરબંદર ખારવા સમાજ ના પ્રમુખ પવનભાઈ શિયાળ ની આગેવાની માં ભાજપ પ્રદેશ માછીમાર સેલ ના સંયોજક મહેન્દ્રભાઈ જુંગી ની મધ્યસ્થ થી સમગ્ર ગુજરાત ખારવા સમાજ માથી ૧૫ જેટલા આગેવાનો ની ટીમ ગાંધીનગર ખાતે સી.એમ. ભુપેન્દ્રભાઈ પટેલ ના નિવાસ સ્થાને મળવા ગયેલ હતી. જેમાં માછીમારો ની વિવિધ સમસ્યાઓ નું નિવારણ લાવવા અંગે મુખ્યમંત્રી સાથે ખુબ જ વ્યવસ્થિત રીતે એક-એક મુદ્દાઓ ની ચર્ચા-વિચારણા થઈ હતી. અને ફીશરમેનો ની સમસ્યાઓ ની રજૂઆત કરવામાં આવેલ હતી. માછીમારો ને પડતી મુશ્કેલી અને સમસ્યાઓ ના દરેક મુદ્દા ને પ્રસ્તુત કરવામાં આવ્યા હતા
સરકાર ની બેદરકારી, મોંઘી પડે માછીમારી .
પોરબંદર શહેર અને જિલ્લા માં બુધવારે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો દરિયો તોફાની બનતા દીવાદાંડી નજીક ના દરિયા કિનારે એક બોટ ફંગોળાય હતી સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પરંતુ બોટ માં ભારે નુકસાન થયું છે બંદર માં બોટ પાર્કિંગ ની પૂરતી વ્યસ્થા નહીં હોવાને કારણે દરિયા માં રહેલી બોટ પર જોખમ ઉભું થયું છે
મુસીબત ના મોસમ માં માછીમારો ની વ્હારે કોણ ?
આ વર્ષે એકબાજુ વરસાદ એ હાહાકાર મચાવ્યો છે તો બીજી બાજુ દરિયા માં ખરાબ હવામાન ના પગલે અને તોફાન ના કારણે માછીમારો ને ચાલુ સીઝન એ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ત્યારે ગુજરાત ખારવા સમાજ ના પૂર્વ પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટી ના ઉપપ્રમુખ સુનિલ ગોહેલ એ મુખ્યમન્ત્રી ને પત્ર લખી ને જાણ કરી ને જણાવ્યું છે
સમુદ્ર ની સમીપ રાષ્ટ્રીય પર્વ ની ઉજવણી
આજનો દિવસ એટલે 15 મી ઑગસ્ટ . સ્વતંત્રતાનો, આઝાદી નો એ મહોત્સવ જ્યાંરે સમગ્ર દેશ , સમગ્ર ભારતીય માટે એક ગૌરવ નો દિવસ. આજ રોજ 76 માં સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી સૌ કોઈ દેશવાસીઓ કરી રહ્યા છે ત્યારે પોરબંદર વાસીઓ પણ આઝાદી ના જસ્ન માં જોડાયા છે આજ રોજ માં ભારતી ને સલામી આપી સૌ કોઈ એ રાષ્ટ્ર ની એકતા અને અખડદિતાતતા માટે પ્રાર્થના કરી હતી.
હાલ સમગ્ર રાજય માં ભારે વરસાદ પડી રહ્યો છે તો દરિયો પણ તોફાની બન્યો છે તેવા સમયે સોશ્યિલ મીડિયા માં દરિયામાં બનેલી એક અદભુત ઘટનાનો વિડિઓ વાઇરલ થયો છે આભ અને સમુદ્ર વચ્ચે સર્જાયેલી આ અનોખી ઘટના માછીમારો એ મોબાઈલ માં કેદ કરી હતી
દરિયા માં ભારે કરંટ સાથે 5-7 ફૂટ મોજા ઉછળ્યા
અરબી સમુદ્ર માં સર્જાયેલ લો પ્રેસર ના કારણે દરિયા માં ભારે કરંટ જોવા મળી રહ્યો છે સાથે જ હવામાન ખાતાની આગાહી મુજબ વાતાવરણ માં પણ પલટો આવ્યો છે છેલ્લા 4 થી 5 દિવસ દરમ્યાન વરસાદ નું પણ જોર વધ્યું છે ત્યારે અરબી સમુદ્રમાં આ લો પ્રેસર ની અસર દરિયા માં દેખાય રહી છે દરિયા ના હાલ ના દ્રશ્યો આપ જોઈ શકો છે જેમાં હાલ દરિયા કાંઠે 5 થી 7 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે
સમુદ્ર અને નદીના મિલનનું સાક્ષી શિવલિંગ...
પોરબદર ના પાતા ગામે અદભુત નજારો
પાતા ગામ ના દરિયા કિનારે શિવલિંગ
મધુવતી ના પાણી શિવલિંગ પાસે થી પસાર થઈ દરિયામાં ભળે છે
તો સામે દરિયાદેવ પણ શિવલિંગ ને નમન કરતા હોઈ તેવા દ્રશ્યો
પોરબંદર કોસ્ટગાર્ડ નું તોફાની સમુદ્રમાં દિલધડક રેસ્ક્યુ
અરબી સમુદ્ર માં સર્જાયેલ લો પ્રેશર ને કારણે દરિયો તોફાની બન્યો છે.ત્યારે આજે પોરબંદરથી UAE તરફ તરફ જઇ રહેલું જહાજ ભારે પવન અને વરસાદના કારણે મધદરિયે ડૂબી રહ્યું હતું. આ અંગે ની જાણ થતાં પોરબંદર કોસ્ટગાર્ડ ની ટિમ દ્વારા તોફાની દરિયા માં દિલધડક રેસ્ક્યુ કર્યું હતું.
પોરબંદર જિલ્લામાં સાર્વત્રિક એક થી દોઢ ઈંચ વરસાદ પોરબંદરનો દરિયો બન્યો ગાંડોતૂર સામાન્ય ઉંચાઈએથી વધુ ઉંચાઈને ઉછળી રહ્યા છે મોજા
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software