છાયા ગુરુકુળ નર્સિંગ સ્કૂલની છાત્રાઓ એ મેળવી સિદ્ધિ
પોરબંદર માં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ શ્રી આર.બી. બદીયાની સંકુલ દ્વારા આજ રોજ વિધાર્થી સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું .. નર્સીંગ શેત્રે અનેરી સિદ્ધિ અને ઉત્તરોત્તર પ્રગતિ મેળવેલ વિધાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ માં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.. પૂજ્ય સ્વામી ભાનુપ્રકાશજી , ટ્રસ્ટ્રી પદુભાઇ રાયચુરા , દીપકભાઈ જટાનિયા અને અનેક હસ્તીઓના હાથે વિધાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ પૂજ્ય સ્વામી ભાનુપ્રકાસજી એ શબ્દો રૂપી આશીર્વચન પાઠવ્યા હતા અને ભારત ના ભાવીઓ ને અનેરો રાહ ચીંધ્યો હતો અને વિધાર્થીઓ ઉતરોતર પ્રગતિ અને ભારત નું ઉજ્જવળ ભાવિ બને તે માટે પ્રેરણા આપી હતી.
સુભાષનગર પુલનું કામ કેમ પાણીમાં
પોરબંદર ના સુભાષ નગર તરફ જતા રસ્તા ઉપર પુલ બનાવની કામગીરી ચાલી રહી છે આ કામગીરી ગોકળગાઈ ની ગતિ એ ચાલતી હોવાના કારણે વાહન ચાલકો ને અને રાહદારીઓ ને મુશ્કેલી પડી રહી છે પોરબંદરથી સુભાષ નગર તરફ જતા રસ્તા ઉપર અલગ અલગ 2 સ્થળો એ પુલ બનાવની કામગીરી ચાલી રહી છે છેલ્લા એક વર્ષ થી આ કામગીરી ધીમી ગતિ એ ચાલે છે
ત્યોહારો ના હરખ વચ્ચે પણ આપડી પ્રથમ ફરજ એટલે પર્યાવરણ ની જાણવણી... હાલ જન્માષ્ટમી બાદ શ્રી ગણેશા પધારી રહ્યા છે ત્યારે પોરબંદર પણ બાપ્પા ના આગમન ની તૈયારી માં લાગી ગયું છે,...પોરબંદર માં હાલ માટી ના ઇકોફ્રેન્ડલી ગણપતિ ની મૂર્તિ નું આગમન થયુ છે.. 31 ઑગસ્ટ થી જયારે ગણપતિ ઉત્સવ નો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે બજાર માં અવનવી બાપ્પા ની મૂર્તિઓ આવી રહી છે જોકે કોરોના ના 2 વર્ષ બાદ જયારે ગુજરાત સરકાર એ મૂર્તિ ની ઉંચાઈ અંતર્ગત નિયમો પરત લય અને આ વર્ષે મન ભરી ને ઉત્સવ ને ઉજવવાનો મોકો આપ્યો છે .
પોરબંદરમાં અભ્યાસ અર્થે આવતી એક સગીરા સાથે બે સંતાનોના પિતાએ દુષ્કર્મ આચર્યું હતું. આ અંગેની ફરિયાદ સગીરાના પરિવારજનોએ નોંધાવ્યા બાદ આ અધમ કૃત્ય આચરનાર શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. અને તેમની સામે કાર્યવાહી શરૂ કરી છે. સોશ્યલ મીડિયામાં કોઇની સાથે સંપર્કમાં આવ્યા બાદ કેટલાક કિસ્સાઓમાં કરૂણ અંજામ આવે તેવો એક બનાવ પોરબંદરમાં પ્રકાશમાં આવ્યો છે
પોરબંદર માં માધવપુર ઘેડ હાઇવે નજીક કાંધિયા વાવ તરીકે ઓળખાતી કેનાલ માં અજાણ્યા સખ્શ ની લાસ મળી આવી છે આ વાત ની જાણ થતા જ લોકો માં ભારે ચર્ચા જાગી હતી
પોરબંદરમાં યાત્રાળુઓ કેમ વેઠે છે યાતના
પોરબંદર અનેક સહેલાણીઓનું મનપસંદ સ્થળ રહ્યું છે અને લાખો ની સઁખ્યામા લોકો અહીં આવતા હોય છે અને સાથે જ ત્યોહારો ના દિવસો માં તો પોરબંદર ની રોનક કૈક અનેરી જ હોય છે પરંતુ જયારે આ સહેલાણીઓ પોરબંદર ખાતે આવે છે ત્યારે તેની સુવિધાનું ધ્યાન રાખવું એ પણ પોરબંદર ની પ્રથમ ફરજ ગણાય છે
પોરબંદરની ખાસજેલમાં શું થયું ધર્મનું કાર્ય
પોરબંદર ની ખાસ જેલ કે જ્યાં અનેક કેદીઓ ગુન્હા ના અંજામ ના પગલે ત્યાં સજા વેઠી રહ્યા છે જેઓ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાય રાષ્ટ્ર અને સમાજ ના અહિત માં કાર્ય કરેલું હોય તેવા લોકો હાલ ખાસ જેલ ખાતે સજા ભોગવી રહ્યા છે ત્યારે તે ખાસ જેલ ના કેદીઓ માં પણ સારા વિચાર આચાર અને સુવિચાર નું પ્રસ્થાપન થાય તેવા હેતુસર પાયોનિયર ક્લ્બ અને સાગર પુત્ર સમન્વય સંસ્થા દ્વારા ખાસ જેલ ખાતે સત્યનારાયણ કથા નું અનેરું આયોજન કરવામાં આવ્યું હતું .
સરકાર સાગરખેડુ ની તારણહાર બનશે..
પોરબંદર ખારવા સમાજ ના પ્રમુખ પવનભાઈ શિયાળ ની આગેવાની માં ભાજપ પ્રદેશ માછીમાર સેલ ના સંયોજક મહેન્દ્રભાઈ જુંગી ની મધ્યસ્થ થી સમગ્ર ગુજરાત ખારવા સમાજ માથી ૧૫ જેટલા આગેવાનો ની ટીમ ગાંધીનગર ખાતે સી.એમ. ભુપેન્દ્રભાઈ પટેલ ના નિવાસ સ્થાને મળવા ગયેલ હતી. જેમાં માછીમારો ની વિવિધ સમસ્યાઓ નું નિવારણ લાવવા અંગે મુખ્યમંત્રી સાથે ખુબ જ વ્યવસ્થિત રીતે એક-એક મુદ્દાઓ ની ચર્ચા-વિચારણા થઈ હતી. અને ફીશરમેનો ની સમસ્યાઓ ની રજૂઆત કરવામાં આવેલ હતી. માછીમારો ને પડતી મુશ્કેલી અને સમસ્યાઓ ના દરેક મુદ્દા ને પ્રસ્તુત કરવામાં આવ્યા હતા
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પોરબંદરની મુલાકાતે
આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે પોરબંદર જિલ્લા વહિવટી તંત્ર અને આત્મા પરીયોજના દ્રારા યોજાયેલી પ્રાકૃતિક કૃષિ કાર્યશાળામાં જિલ્લાના ખેડૂતોને માર્ગદર્શન આપતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એ જણાવ્યું હતુ કે, રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી બચવા માટે પ્રાકૃતિક કૃષિ એક મજબુત વિકલ્પ છે.
પોરબંદરના મેળાને લઇ ને કલેટરે શું કર્યો આદેશ..?
પોરબંદરનો લોક મેળો હવે શુંનો
મેળામાં માઈક વગાડવા ઉપર પ્રતિબંધ
મેદાન ત્રીજા દિવસે રાઈડ અને સ્ટોલમાં માઈક બંધ
કલેક્ટરના આદેશ પગલે પોલીસે માઈક બંધ કરાવ્યું
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software