સોરઠી ડેમ છલકાતા બરડા માં લીલા લહેર
પોરબંદર જિલ્લો અને પોરબંદર ની આન બાન અને સાન બરડો સોળે કલા એ પ્રકૃતિ ના પ્રેમ માં ખીલી ઉઠ્યો છે અને વર્ષારાણી એ વર્ષા સંગ જાણે સ્નેહ ની હેલી કરી હોય તેમ તન મન ને ભીંજવી નાખ્યા છે. ત્યારે બરડા વિસ્તાર નો સોરઠી ડેમ આ વર્ષે સતત બીજી વાર છલકાયો છે. અને આ ડેમ જાણે પાણી ની સાથે ખેડૂતો પ્રત્યે ના સ્નેહ થી છલકાયો હોય તેવી અનુભૂતિ હાલ તો થઈ રહી છે. કારણ કે સોરઠી ડેમ ગોરાણા , અડવાણા , ભેટકડી ત્રણ ગામ ને કેનાલ મારફત સિંચાય નું પાણી પૂરું પાડવામાં આવે છે .
પોરબંદર ના રકારી કર્મચારીઓ માં કેમ છે ઉગ્ર રોષ
સરકાર કર્મચારીઓ ને શું સમજી ને લોલીપોપ આપી રહી છે તેમજ વિકાસ ના વંટોળ માં ઉડી રહેલ તંત્ર કર્મચારીઓ સાથે શા માટે આ અન્યાય કરી રહી છે ? તેવા સવાલો ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો તેમજ ગુજરાત રાજય કર્મચારી મહામંડળ દ્વારા કરવામાં આવી રહ્યા છે.
પોરબંદર ના વન કર્મચારીઓ એ નારાજગી વચ્ચે વડાપ્રધાન ના જન્મદિવસ ની ઉજવણી કરી
સમગ્ર દેશ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિન ની હરખભેર ઉજવણી કરી રહ્યું છે ત્યારે આ તકે વનવિભાગ ના સ્ટાફ એ પણ એકત્રિત થઈ અને 72 વૃક્ષોનું વાવેતર કર્યું હતું પ્રકૃતિ ના હાથ માં જ સમગ્ર જીવ સૃષ્ટિ ની ડોર છે ત્યારે પર્યાવરણ પ્રત્યે ના પ્રેમ રૂપી ભેટ સાથે જ કર્મચારીઓએ હાથ માં લીલી પટ્ટી ધારણ કરી અને ગાંધી ચિંધ્યા માર્ગે તેમનું આંદોલન શરૂ રાખ્યું છે
પોરબંદર ના યુવાનો એ રક્તદાન મહાદાન નું સૂત્ર સાર્થક કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિવસ ની ઉજવણી સમગ્ર ભારત સહીત સૌ કોઈ હરખભેર કરી રહ્યા છે અને લોકલાડીલા વડાપ્રધાન ને જન્મદિવસ નિમિતે સમગ્ર દેશવાસીઓ શુભેચ્છા તો દીર્ધાયુ બક્ષી તેમના શુભ દિને અનેરા કાર્યો ની રસધારા વરસાવી રહ્યા છે ત્યારે પોરબંદર ખાતે પણ ભારતીય જનતા યુવા મોરચા પોરબંદર શહેર તાલુકા દ્વારા જનસેવક એવા પ્રધાનમન્ત્રી નરેન્દ્રમોદી ના આ જન્મ દિન નિમિતે રક્તદાન મહોત્સવ નું આયોજન કર્યું હતું .
સ્વચ્છ સાગર અભિયાન માં પોરબદર દિલ થી જોડાયું
રહેશે સ્વસ્છ દરિયા કિનારો , તો માણી શકશો સુંદર નજારો. આવા ઉમદા હેતુ થી આજ રોજ પોરબંદર ની ચોપાટી અને એં દરિયા કિનારો કે જે હજારો લાખો લોકો ના દિલ માં રહ્યો છે અને પોરબંદર શહેર ની આન બાન અને શાન ગણાય છે.
જ્યાં સંભળાતા બાળકોના કિલ્લોલ એ શાળા કે જ્યાં આજે લાગ્યા છે તાળા આજ રોજ પોરબંદર સહીત રાજયભરની મોટા ભાગની પ્રાથમિક તથા માધ્યમિક શાળા ના શિક્ષકો તેમની અનેક વિધ માંગણીઓ સાથે માર્સ સીએલ પર ઉતર્યા હતા.
પોરબંદર લોહાણા મિત્ર મંડળ નો નવરાત્રી ને લઈ મોટો નિર્ણય
હાલ નવરાત્રી નો પર્વ નજીક આવી રહ્યો છે અને ખલૈયાઓ માં જગદંબા ની આરાધના કરવા અને ઢોલ નગારા ના તાલે ઝૂમવા થનગની રહ્યા છે. નવરાત્રી એટલે માતાની શક્તિ ની આરાધના નું પર્વ.. અને ગુજરાતી ઓ માટે ગરબા નું અનેરું ગર્વ.
હાલ નવરાત્રી નો પર્વ નજીક આવી રહ્યો છે અને ખલૈયાઓ માં જગદંબા ની આરાધના કરવા અને ઢોલ નગારા ના તાલે ઝૂમવા થનગની રહ્યા છે નવરાત્રી એટલે માતાની શક્તિ ની આરાધના નું પર્વ. અને ગુજરાતી ઓ માટે ગરબા નું અનેરું ગર્વ.
રમતવીરોનું ભાવિ કચરામાં જવાબદાર કોણ..?
એક બાજુ કેન્દ્ર અને રાજય સરકાર યુવાનો અને ખેલાડીઓને રમત ગમત ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહન આપી રહી છે સાથે જ ખેલકૂદ અને જીવન માં રમત નું મહત્વ સમજાવવા અવિરત પ્રયત્નશીલ રહે છે સાથે જ ખેલ મહાકુમ્ભ અને નેશનલ ગેમ્સ જેવા અને ભવ્યતીભવ્ય કાર્યક્રમ યોજી અને રમત ગમત ક્ષેત્રે હરેક યુવાન આગળ આવે અને તેની પ્રતિભા ખીલવે.
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software