આજ સમયમા દુષ્કર્મની ઘટના અવાર નવાર બનતી રહે છેે ત્યારે પોરબંદરની એક મહિલાને તેમના બે બાળકોના ભરપોષણની અને લગ્નની લાલચ આપી અને તેમની સાથે શારીરીક સંબધો બાંધ્યા હતા અને ત્યાર બાદ મહીલાને મારકુટ કરવાનુ શરૂ કરી દીધુ હતુ તેમજ જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી અંતે મહિલા એ ફરીયાદ નોંધાવી છે.
ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન લખવામાં આવ્યા જુઓ રૂડો પ્રસંગ
માધવપુરમાં ભગવાનના લગ્ન લખાય
ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષમણીજીના લગ્ન લખાયા
ધુળેટીના દિવસે લખાય છે લગ્ન
25 વાના ના લગ્ન લખાયા
મધવરાય મંદિરે થી નીકળે છે શોભાયાત્રા
મધુવન માં ફુલડોલ બાદ લગ્ન લખ્યા છે
લગ્ન લખાય ત્યારે રૂડા ગીત ગવાયા છે
પોરબંદરના બિલ્ડર સામે લેન્ડ ગ્રેબિગનુ શસ્ત્ર કોને ઉગામ્યુ ?
પોરબંદરનાં જાણીતા બિલ્ડર સામે લેન્ડ ગ્રેબિંગની ફરીયાદ નોંધાતા ભારે ચર્ચા જાેવા મળી રહી છે. બિલ્ડરે મેમણવાડા વિસ્તારમાં આવેલી એક મિલ્કત પચાવી પાડી હતી અને તેનો ઉપયોગ રહેણાંક તથા અંગત કારણોસર કરતા તેમની સામે લેન્ડ ગ્રેબિંગની ફરીયાદ નોંધાઈ છે. આ બિલ્ડર અવાર-નવાર એનકેન પ્રકારે વિવાદમાં રહેતા હોવાનું પણ કહેવાય છે.
પોરબંદર જીલ્લામા પ્યાસીઓની હોળી ધુણધાણી
પોરબંદર જિલ્લામાં હોળી ઘુળેટીનાં તહેવારમાં વિદેશી દારૂની રેલમછેમ બોલે તે પહેલા પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. ગોઢાણાની હોલડી નેશ વિસ્તારમાં રહેણાંક મકાનમાં દરોડો પાડી અને પોલીસે એક શખ્સને વિદેશી દારૂની ૭ર બોટલ સાથે ઝડપી લીધો હતો. આ ઉપરાંત ભાવપરા, ગીતાનગર અને ચુના ભઠ્ઠા વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપાયો.
પોરબંદર શહેર મા સ્ટ્રોમ વોટર ડ્રેઈન કામગીરી શહેરના વિવિધ વિસ્તારમા ચાલી રહી છે. આ કામગીરી બેદરકારી રીતે ચાલી રહી છે જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હાલ શહેરના લાતી બજાર વિસ્તારમા આ કામગીરી શરૂ કરવામા આવી છે પરંતુ ખાડા ખોદી અને છેલ્લા એક સપ્તાહથી કામ અધુરૂ છોડી દેવામા આવતા સ્થાનીક વેપારીઓની હાલત કફોડી બની છે અને પાલિકાની બેદરકારી સામે આક્રોશ જાેવા મળી રહ્યો છે વેપારીઓના જણાવ્યા અનુ સાર ખાડા ખોદી ને કામ અધુરુ છોડી દેવામા આવ્યુ છે જેને કારણે તેમને કારણે રાહાદરીઓ અને વાહન ચાલકો તેમજ પશુઓ આ ખાડામા ખાબકે તેવો ભય સેવાઈ રહ્યો છે એટલુ જ નહીં ધંધા રોજગાર ઉપર પણ માઠી અસર પડી રહી છે
પોરબંદર શહેર માં રેઢિયાળ પશુઓનો ત્રાસ
સોની બઝારમાં અખલાનો આતંક
દુકાનો થઈ બંધ
સોની બજારમાં ભયનો માહોલ
શહેરમાં આખલાનો ત્રાસ કયારે દૂર થશે
પોરબંદરના સેવાભાવી મહીલા કેમ રડી પડયા
સુદામાનગરી એટલે સેવાની નગરી. પોરબંદરમાં અનેક સેવાભાવી સંંસ્થાઓ જરૂરીયતામંદ પરિવારો, ગાય, શ્વાન, ખિસકોલી અને કીડી માટેનો પણ સેવાયજ્ઞ ચલાવે છે પરંતુ સેવામૂર્તિનાં દર્શન કરવા હોય તો ક્રિષ્નાબેન ત્રિવેદી. આ મહિલાની ઉંમર પપ વર્ષની છે. છેલ્લા ર૦ વર્ષથી તેઓ ગાય, શ્વાન અને ખિસકોલી માટે અનોખો સેવાયજ્ઞ ચલાવે છે. આ મહીલા ને ગાય અને શ્વાન પ્રત્યે એટલો લગાવ છે કે તે સેવાકાર્યની વાત કરતી વેળાએ રડી પડયા હતા સેવાકાર્યની વાત કરીએ તો ક્રિષ્નાબેન રોજ ૧પ કિલો ચોખાની ખીર બનાવે છે જેનાં ૬૦૦ રૂપિયાનાં દુધનોઉપયોગ કરે છે. પ કિલો ખાંડનો ઉપયોગ કરે છે અને તેમની ખીર બનાવે છે. આ ઉપરાંત શાક માર્કેટમાંથી નિયમિત ર૦૦ કિલો શાકભાજી ખરીદે છે તેમજ ૩ થી ૪ કિલો જલેબીની લારી ભરી અને રાત્રીનાં ૧૧ વાગ્યે તેઓ શહેરનાં વિવિધ વિસ્તારોમાં પોતે એકલા ફરે છે નિયમિત ૩૦૦ જેટલા શ્વાનને ખીર ખવડાવે છે. ર૦૦ થી વધુ ગાયને લીલુ શાકભાજી ખવડાવે છે તેમજ ખાડી કાંઠા વિસ્તારમાં ખિસકોલીને જલેબી ખવડાવે છે.
પોરબંદર પંથકના શખ્સને હથિયાર કોણે આપ્યુ ?
પોરબંદરના રાણાવાવના એક હથિયાર કેસમા છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેવામા આવ્યો હતો પોરબંદર એસઓજીએ મોરબીથી ઝડપી લીધો હતો
રાણાવાવ પોલીસ સ્ટેશનના હથિયારના ગુન્હામા નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા માટે જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ પોરબંદર એસઓજીના પીઆઈ એચ બી ધાંધલ્યા અને તેમની ટીમ દ્રારા કામગીરી કરવામા આવી હતી આદિત્યાણાના એક ફાયરીંગ પ્રકરણમા મુખ્ય આરોપીને હથિયાર આપવામા મુળ જાેડીયા ગામના હાલ મોરબી ખાતે રહેતા અને ડ્રાઈવીગનો વ્યવસાય કરતા યુસુફ અસલમ ખુરેશીનુ નામ ખુલ્યુ હતુ
પોરબંદર તાલુકાનાં ભાવપરા ગામે એક શખ્સે ગ્રામ પંચાયતનાં અલગ-અલગ જેટલા ૮ જેટલા ડસ્ટબીન કુહાડી વડે તોડી નાખ્યા હતા અને જાહેરમાં ભુંડી ગાળો બોલીને આતંક મચાવ્યો હતો. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ પોરબંદરનાં ભાવપરા ગામે રહેતા સવદાસ કારા ગોઢાણીયા નામનાં શખ્સે ગામમાં આતંક મચાવ્યો હતો. કુહાડી વડે ગામમાં આવેલા અલગ-અલગ ૮ જેટલા ડસ્ટબીન તોડી નાખ્યા હતા અને કચરો જાહેરમાં ફેંકી દીધો હતો.
પોરબંદર જિલ્લામાં માવઠા ની ભીતિ
આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી
ખેડૂતોને સાવચેત કરવામાં આવ્યા
રવીપાક સલામત સ્થળે રાખવા જણાવ્યું
કેરીના પાકને પણ નુકશાની ની ભીતિ
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software