રાજ્યની નવરચિત ૯ મહાનગરપાલિકાઓની એક દિવસીય કાર્યશાળા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઇ : હાલની સ્થાપિત મહાનગરપાલિકાઓ નવી રચાયેલી ૯ મહાનગરપાલિકાના મેન્ટર તરીકે એક વર્ષ કાર્ય કરશે
મુખ્યમંત્રીએ રાજ્યમાં તાજેતરમાં રચાયેલી ૯ મહાનગરપાલિકાના કમિશનરઓ, વહીવટદારઓ તેમજ અન્ય અધિકારીઓની ગાંધીનગરમાં યોજાયેલી એક દિવસીય કાર્યશાળામાં અધ્યક્ષીય સંબોધન કર્યું હતું. તેમણે ઉમેર્યું કે, લોકોમાં હવે વિકાસ માટેની જાગૃતિ આવી છે. એટલું જ નહિં, તેમને આજના બદલાતા યુગમાં પબ્લિક ડિલિવરી અને સર્વિસીસ પણ અસરકારક રીતે જોઈએ છે. આ સંદર્ભમાં રાજ્ય સરકારે આયોજનબદ્ધ શહેરી વિકાસને વેગ આપવા નવી ૯ મહાનગરપાલિકાઓની રચના કરી છે.
મેનપાવર ટ્રેનિંગ માટે હાલની પાંચ મોટી મહાનગરપાલિકાઓને ૧ વર્ષ સુધી નવી મેન્ટર તરીકે કાર્યરત કરવાનો નિર્ણય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેઆ હેતુસર નવી રચાયેલી મહાનગરપાલિકાઓની વહીવટી ક્ષમતા વૃદ્ધિ તેમજ રોજબરોજની વહીવટી કામગીરીમાં યોગ્ય માર્ગદર્શન અને મેનપાવર ટ્રેનિંગ માટે હાલની પાંચ મોટી મહાનગરપાલિકાઓને ૧ વર્ષ સુધી નવી મહાનગરપાલિકાઓના મેન્ટર તરીકે કાર્યરત કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર, અમદાવાદ મહાનગરપાલિકા નવરચિત નડિયાદ અને સુરેન્દ્રનગર મહાપાલિકા માટે, વડોદરા મહાનગરપાલિકા આણંદ મહાપાલિકા માટે, સુરત મહાનગરપાલિકા વાપી અને નવસારી માટે તથા રાજકોટ મહાનગરપાલિકા મોરબી અને ગાંધીધામ માટે તેમજ જામનગર મહાનગરપાલિકા પોરબંદર માટે અને ગાંધીનગર મહાનગરપાલિકા મહેસાણા માટે મેન્ટર તરીકે કાર્યરત રહેશે. મહાનગરપાલિકાની રચના થયા બાદ નાગરિકોને સ્પષ્ટ દેખાઈ આવે તેવો બદલાવ રોડ-રસ્તા, પાણી, ડ્રેનેજ, લાઈટ તથા બાગ-બગીચા જેવા સુવિધાકારી કામોથી હાથ ધરવાનું દાયિત્વ નવનિયુક્ત કમિશનરોએ નિભાવવાનું છે.
20 કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી
મુખ્યમંત્રીએ નવી રચાયેલી પ્રત્યેક મહાનગરપાલિકાઓને વહીવટી ક્ષમતા વૃદ્ધિ, ઓફિસ સ્ટ્રેન્થનીંગ તથા અન્ય સુવિધાઓ માટે રૂ.10 કરોડ અને શહેરી સફાઈ સહિતના સિટી બ્યુટીફિકેશન કામો માટે રૂ.10 કરોડ મળીને કુલ 20 કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી પણ આ તકે આપી હતી. તેમણે કહ્યું કે, આ મહાનગરપાલિકાઓમાં વિકાસ કામોની સ્પર્ધા થાય. એટલું જ નહિં, શહેરી જન સુખાકારી કામો માટે નાગરિકોની અપેક્ષા સંતોષાય તેવું વાણી-વર્તન-વ્યવહાર પણ નવી ટીમ પાસે અપેક્ષિત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નવ મહાનગરપાલિકાઓ રાજ્યના શહેરી વિકાસને નવી ઊંચાઈ આપીને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં પણ યોગદાન આપશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. આ એક દિવસીય કાર્યશાળામાં ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર જનરલ આઈ. પી. ગૌતમે શહેરોના ભવિષ્યલક્ષી આયોજન અને વિકાસ સંભાવનાઓ વિશે માર્ગદર્શક વ્યાખ્યાન આપ્યું હતું.
નવી મહાનગરપાલિકાના હેન્ડ હોલ્ડિંગથી કેપેસિટી બિલ્ડીંગ પણ ઝડપથી થાય તેવું આયોજન
શહેરી વિકાસ અગ્ર સચિવ અશ્વિનીકુમારે આ કાર્યશાળાનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરતાં કહ્યું કે, રાજ્ય સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શહેરી વિકાસને ગતિ આપતા ત્વરિત નિર્ણયો કર્યા છે.૯ મહાનગરપાલિકાઓની રચનાની જાહેરાત થયાના ગણતરીના સમયમાં જ મ્યુનિસિપલ કમિશનરો સહિત જરૂરી મેનપાવર ઉપલબ્ધ કરાવીને ફૂલ ફ્લેજ્ડ મહાપાલિકા ત્વરાએ કાર્યરત કરી છે. હવે, સ્થાપિત મહાનગરપાલિકાઓ દ્વારા નવી મહાનગરપાલિકાના હેન્ડ હોલ્ડિંગથી કેપેસિટી બિલ્ડીંગ પણ ઝડપથી થાય તેવું આયોજન કર્યું છે. કમિશનર મ્યુનિસિપાલિટીઝ એડ્મિનિસ્ટ્રેશન રાજકુમાર બેનીવાલે સ્વાગત પ્રવચનથી સૌને આવકાર્યા હતા. આ કાર્યશાળામાં નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર, વહીવટદાર કલેક્ટરઓ તેમજ અધિકારીઓ અને સ્થાપિત મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનરઓ સહભાગી થયા હતા.
પોરબંદર સરકારી ભાવસિંહજી હંમેશા તબીબોની ધટ બાબતે વિવાદમો રહી છે.
હવે મેડીકલ કોલેજ કાર્યરત થયા બાદ તબીબો સંખ્યામા પણ વધારો થયો છે. કેટલાક ગુટલીબાજ તબીબોના કારણે આજે પણ દર્દીઓ હેરાન પરેશાન થઇ રહ્યાં છે. કેટલાક તબીબો જવાબદાર અધિકારીઓનું સાંભળતા ન હોય તેવી ચર્ચાઓ થઇ રહી છે. આજે તારીખ 12-12-2024ના રોજ ભાવસિંહજી હોસ્પિટલના એનસીડી વિભાગ બહાર દર્દીઓની કતાર લાગી હતી અને અંદર જુનિયર ડોકટરો દર્દીઓની તપાસણી કરી રહ્યાં હતા. પરંતુ એમડી ડોકટરોની હાજરી જોવા મળી ન હતી. દર્દીઓ પુછતા હતા કે ભાઇ એમડી ડોકટર આવશે તો બેસીએ પણ આહ્યાં તો રામ રાજ્યને પ્રજા સુખી જેવી સ્થિતિ હતી. જેમની ડયુટી હતી તે તબીબી હાજર ન હોવાથી દર્દીઓ હેરાન પરેશાન થયા હતા. આ મામલે જ્યારે એક ઉચ્ચ અધિકારીને પુછતા તેમણે તે તબીબને ફોન કર્યો પણ તે સમયે તે તબીબે ફોન ઉપાડવાની તસ્તી ના લીધા નજરે પડયુ હતુ. પોરબંદરમા સરકારે મેડીકલ શરૂ કર્યા બાદ વિવિધ રોગના નિષ્ણાંત ડોકટરોની નિમણૂક કરી છે.પરંતુ કેટલાક ડોકટરો હોસ્પિટલમાં હાજર રહેતા નથી ને સરકારનો તગડો પગાર ખિસ્સામાં નાખતા હોવાની ચર્ચા જોવા મળી રહી છે. ત્યારે સરકારી હોસ્પિટલના જવાબદાર અધિકારીઓ આ બાબતથી અજાણ છે કેમ ? વિવિધ રોગના નિષ્ણાંત ડોકટરોની આશાએ પોરબંદર સહિત જિલ્લાભરમાંથી દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે પરંતુ કેટલાક એમડી ડોકટરો ફરજ પર હાજર રહેતા ન હોવાનું કહેવાય છે.
Read Moreપોરબંદરમા ટયુશન કલાસીસના સંચાલકે શુ કર્યા કાળા કરતુત
પોરબંદરમા ટયુશન કલાસીસની ઘટના ચર્ચામા
કલાસીસના સંચાલકે કરી છાત્રાની છેડતી
એકસ્ટ્રા કલાસીસમા બોલાવી કરી છેડતી
કલાસીસના સંચાલક સામે પોલીસ ફરીયાદ
એનએસયુઆઇ એ પણ કડક સજાની માંગ કરી
વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો
પોરબંદર પાલિકામા શુ બની ઘટના જે ચર્ચાનો વિષય બની
પોરબંદર પાલિકા પ્રમુખને ધમકી આપનાર ઝડપાયો
ધમકી આપનાર બન્ટુ ગોરાણીયા ઝડપાયો
દોઢ માસ બાદ આરોપી ઝડપાયો
બન્ટુ ગોરાણીયાને લઇ પોલીસ પાલિકાએ પહોંચી
મહિલા પ્રમુખ ડો ચેતનાબેન તિવારીની માંફી માંગી
બન્ટુ ગોરાણીયાની પોલીસે કરી પુછપરછ
પોરબંદરમા પુષ્ય નક્ષત્રમા માત્ર શુકનવંતી ખરીદી
પોરબંદરમા પુષ્ય નક્ષત્રમા શુકનવંતી ખરીદી
લોકોને આજે ખરીદી કરી શુકન સાચવ્યુ
મોટ શો રૂમમા ખરીદીનો માહોલ
નાના વેપારીઓને ત્યાં ખરીદી નહીવત
સોનાની બુટ્ટી,વીંટી સહિતની ખરીદી કરી
પોરબંદરમા મેરેડીયન મલ્ટીપ્લેક્ષ સિનેમા કેવુ છે જુઓ
પોરબંદરમા મેરેડીયન મલ્ટીપ્લેક્ષ સિનેમાનો પ્રારંભ
ખાપટ ખાતે બનાવામા આવ્યુ ત્રણ સ્ક્રીનવાળુ સિનેમા
ઉદઘાટન પ્રસંગે કલેકટર અને એસપી સહિતના મહાનુભાવો
કેશુભાઇ ઓડેદરા ઓડેદરા વર્ષોથી સિનેમાના વ્યવસાય સાથે જોડાયેલા છે
પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયા ખાસ ઉપસ્થિત
શહેરના વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિત
પોરબંદરને મેગા સીટી જેમ પોરબંદરને પણ મલ્ટીપ્લેક્ષ સિનેમાની ભેટ
પોરબંદર પાલિકાના પ્રમુખ પાણીના પ્રશ્ને કેમ આકરા પાણીએ જુઓ..
પોરબંદરમા પાણી વહેંચનાર સામે કાર્યવાહી
બોખીરા વિસ્તારમા પાણી વહેંચનારા સામે કાર્યવાહી
ભુર્ગભમાંથી પાણી ખેંચી પાણીનો વેપલો કરતા હતા
પાલિકા પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી આકરા પાણીએ
પાણી વહેંચાનારા સામે કાર્યવાહી કરવામા આવી
નોટીશ બાદ પણ પાણી વહેંતા કાર્યવાહીમ કરવામા આવી
ભુગર્ભમા આડા બોર કરી અને પાણી ખેંચતા હતા
સ્થાનીકોના બોરના પાણી બગડી જતા મુશ્કેલી વેઠતા હતા
પોરબંદર શહેરમા કેવો વિકાસ થશે
પોરબંદર નગરપાલિકાની જનરલ બોર્ડ મળી
પોરબંદર શહેરના વિકાસના અનેક કામોને મંજુરી
પાંચ કરોડના ખર્ચે ટાઉન હોલ બનાવામા આવશે
નવા રસ્તા બનાવામા આવશે
નવા વિકસીત વિસ્તારામો ભુગર્ભ ગટર બનાવામા આવશે
પોરબંદરમા યુવાનની હત્યામા કેટલા આરોપી પોલીસના સંકજામા
પોરબંદરમા નવરાત્રીમા યુવાનની હત્યાનો મામલો
બે દિવસ પૂર્વ સામાન્ય બાબત યુવાનની હત્યા
સરમણ ઓડેદરા નામના યુવાની હત્યા
આઠથી નવ જેટલા લોકોએ ધોકા લઇ તુટી પડયા
ગરબીમા ઇનામ આપવાના મનદુ:ખને લઇ હત્યા
પોલીસ ચાર જેટલા શખ્સોની કરી અટકાય
પોરબંદરમા મહેર સમાજનો રાસ ઉત્સવ સુવર્ણ પ્રકાશથી કેમ ઝગમગી ઉઠયો
પોરબંદરમા ઇન્ટર નેશનલ મહેર સમાજ દ્રારા રાસોત્સવ
પાંચમા નોરતે મહેર સમાજના ટ્રેડીશ્નલ ડ્રેસ સાથે રાસ
ભાઇઓએ મણિયારો રાસ રજુ કર્યો તો બહેનોએ રાસડા
આજ યુવામા પણ મહેર સમાજની પરંપરા યથાવત
મહેર જ્ઞાતિના પુસ્તકનુ વિમોચન કરવામા આવ્યુ
વિવિધ સમાજ અને સંસ્થાના આગેવાનો ઉપસ્થિતી
જય લીરબાઇમા અને પુતીઆઇનો ઉદઘોસ
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software