બોખીરા વિસ્તારમાં વરસાદી પાણી આફત રૂપ..
પોરબંદર શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા રોગચાળાની ભીતી સેવાઇ રહી છે. પોરબંદરના બોખીરા વિસ્તારમાં રિલાયન્સ પેટ્રોલપંપ પાછળ આવેલા નાગાર્જુન પાર્ક તેમજ નારાયણનગર વિસ્તારમાં ઠેકઠેકાણે વરસાદી પાણી ભરાતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. તેમજ સ્થાનીકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે
પોરબંદર માં વરસાદી પાણી ના કારણે ઝાડા ઉલ્ટીના કેશમાં વધારો..
હાલ વર્ષ ઋતુ ચાલી રહી છે.તાજેતર માં પોરબંદર જિલ્લા માં સાર્વજનિક વરસાદ નોંધાયો હતો.વરસાદ ને કારણે શહેર ના અનેક વિસ્તારો માં પાણી ભરાયા હતા.આ વરસાદી પાણી ને કારણે લોકો વધુ બીમાર પડી રહ્યા છે.ખાસ કરી ને ઝાડા- ઉલટી ના કેશો માં વધારો થયો છે.
પોરબંદર પોલીસ દ્વારા ગોઢાણીયા કોલેજ ખાતે યોજાયો સેમિનાર...
આજ ના આધુનિક યુગ માં સાઇબર ક્રાઈમ વધી રહ્યો છે.લોકો ટેકનોલોજીનો ઉપયોગ કરી ગુન્હો આચારી રહ્યા છે.લોકો સાથે છેતરપીંડી કરી રહ્યા છે.આવા સાઇબર ફ્રોડ થી બચવું જરૂરી છે
બે વર્ષ બાદ કેવું હશે પોરબંદર મેળાનું આયોજન જુઓ....
પોરબંદર ના મેળા નું આયોજન બદલાશે?
પોરબંદર - છાયા નગરપાલિકા દ્વ્રારા પાંચ દિવસ ના મેળા નું આયોજન
મેળા ના આયોજન અંગે પાલિકા પ્રમુખ સાથે ખાસ વાતચીત
પ્રવર્તમાન સ્થિતિ ને ધ્યાને રાખી કેટલાક સ્ટોલ ની બાદબાકી
સાંસ્કૃતિક કાર્યકમો ની જમાવટ થશે
આવતી કાલે પોરબંદરની ખાનગી હોસ્પિટલો બંધ રહેશે...
પોરબંદર માં ખાનગી હોસ્પિટલ તબીબો ની હડતાળ
પોરબંદર ની ખાનગી હોસ્પિટલ ના તબીબો 22 જુલાઈ ને શુક્રવારે હડતાલ ઉપર
પોરબંદર ની તમામ ખાનગી હોસ્પિટલ બંધ રહેશે
ડેપ્યુટી કલેકટરના આદેશ અનુસાર હીરાપન્ના કોમ્પ્લેક્સની 40 દુકાનોને મરાયા શીલ...
પોરબંદર શહેરની મધ્યે આવેલા વિવાદિત હીરાપન્ના કોંપ્લેક્ષ પાલિકા એ સીલ મારવાની કામગીરી કરતા વિવાદ સર્જાયો છે આ કામગીરીના પગલે દુકાનદારો એ વિરોધ વ્યક્ત કર્યો હતો પાલિકાના ચીફ ઓફિસરે પોલીસ બંદોબસ્ત સાથે સીલ મારવાની કામગીરી હાથ ધરી
પોરબંદર જિલ્લા માં છેલ્લા ઘણા સમય થી સતત કોરોના ના કેશ માં વધારો થઈ રહયો છે.ત્યારે પોરબંદર ની સરકારી હોસ્પિટલ કોરોના ના દર્દીઓ ને પૂરતી અને યોગ્ય સારવાર આપવા માટે તમામ પ્રકાર ની સુવિધાઓ ઉપલબ્ધ છે.
પોરબંદર-છાયા નગરપાલિકા ના સયોગ થી થશે નવીનીકરણ
સુરશ્રી સાંસ્કૃતિક ટ્રસ્ટ દ્વારા થશે નવીનીકરણ
આધુનિક સુવિધા સાથે અઢી કરોડ ના ખર્ચે બનશે રંગમચ
સુરશ્રી ના પ્રમુખ કિરીટભાઈ રાજપરા સાથે પોરબંદર ખબર ની ખાસ વાતચીત
પરિણીતાને મરવા મજબુર કરનાર કુણવદરનાં સાસરીયાઓ સામે ફરિયાદ ..
પોરબંદર તાલુકાનાં કુણવદર ગામે રહેતી એક પરિણીતાએ સાસરીયાઓનાં આ દુ:ખ ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લીધો. આ બનાવમાં મૃતકનાં પરિણીતાનાં પિતાએ સાસરીયાઓ સામે બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પોરબંદર-છાંયા સમસ્ત ખવાસ જ્ઞાતિ દ્વારા દેવુભગતની નિર્વાણતિથિની ઉજવણી.. પોરબંદર-છાંયા સમસ્ત ખવાસ જ્ઞાતિ દ્વારા સંત શિરોમણી પૂજ્ય દેવુભગતની ૯મી નિર્વાણતિથિની ભક્તિભાવ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આરતી, મહાપૂજા અને તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ તેમજ મહાપ્રસાદી સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software